Book Title: Hari Vikram Charitra
Author(s): Bhagubhai F Karbhari
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 190
________________ 185 પણ રાજ સ્ત્રીમાં દેષ જણાઈ આવ્યું કે શું? ખરી હકીકત કહે. અથવા પૂછવાની જરૂર નથી. આજે વિજયા એ તને પ્રથમ શામથી અને પછીથી દંડની બીકે દેખાડી જે કાંઈ કહ્યું, તે મને પ્રત્યક્ષ સમજાએલું છે. હે ગુણરાજ કુલીન, ધાર્મિક કાર્ય ભરૂ, અને સ્વામિ ભકિતવાન એ પુરૂષ જગમાં તારા જે કઈ નથી. ગુણરાજ–રાજા, તારી ચરણ કૃપાથી આ સર્વ ગુણે મારામાં આવ્યા છે, કારણ પ્રથમ મારામાં એમનું કાંઈજ નહોતું હે રાજા, આજ તને રાણીની હકીકત જણાઈ છે, તે હવે તું તેનું શું કરવાનો તે મને કહે. રાજા–એક અતિશય ઊંડો ખાડો ખોદી, તેની અંદર તેને નાખી દઉં છું. પછી ગુણરાજ કાનપર હાથ દઈ બેલ્યો કે “નહિ, નહિ, હર, હર, રાજા તું આવું બોલીશ પણ નહિ. રાજા, તારે પિતાને જ નિગ્રહ કરવાને છેડી દઈ તેને શા વાસ્તે? તેજ તેને છોડી માટે આ તેનાથી દેષ થયો. હે, નૃપતિ વાસ્તવીક આ રાણીને પણ દેષ નથી. કારણ મોટા પુરૂષોની બુદ્ધિ પણ કામથી ભ્રષ્ટ થાય છે. પિતાની છોકરીને ઉપભોગ લેવાને તૈયાર થયા. હે નરેશ્વર, બીજાની વાતે રહેવા દે પણ દેવરાજાએ (ઈંદ્ર) ગાતમ રૂષીની સ્ત્રી સાથે જે કાંઈ કર્યું, તે કહેવાની જરૂર નથી. જયાં આવા મોટા મોટાઓ પણ કામથી અંધ બને છે, તે પછી અબ. લા જનને શો અપરાધ ? મિષ્ટાન્ન ભક્ષણ કરનારને મિષ્ટ અન્ન મળે નહિ, એટલે જે તે ક્ષુધાતુર થઈ, કુજનની પણ અતિશય ઈચ્છા કરે છે, તેજ પ્રમાણે ફકકડ, રૂપવાન એવો તું તેને મળે નહિ, એટલે તે કામાતુર થઈ અમારા જેવા નરાધમની પણ ઈચ્છા કરે તે આપ પ્રભુ છે, માટે મનમાં દયા લાવી મારા વચનથી એ વિજયાને એક અપરાધ માફ કરો. એ પ્રમાણે બેલી ગુણરાજ રાજાને પગે પડે. રાજાએ પણ તેનું ભાષણ સુપરિણામી છે એમ મનમાં જાણ્યું રાજા–ગુણરાજ, તારું સર્વ કહેવું મને કબુલ છે. જાણે તત્વાર્થ વિષયમાં તું પંડિત છે, એ પ્રમાણે તે મને સત્ય વાત કહી છે. એમ બોલી પ્રિયા વિજયાદેવી ઉપર ગુસ્સે કાઢી નાખી ખરી વાત સમજાયાથી ગુણરાજના કહેવા પરથી તેની વિષે દયા કરી તેના મહેલમાં ગયે, અને જાણે પૂર્વે બનેલી હકીકત તેને ખબર જ નથી એવી રીતથી તેની સાથે ભોગ ભોગવવા લાગ્યો. તે દિવસથી બીજી પણ જે અણગમતી રાણીઓ હતી, તેમને ભૂપતિએ અનુકમવાર દિવસો મુકરર કરી આપ્યા. આવી રીતે ગુણરાજ પણ જનધર્મના પ્રભાવથી, રાજા અમાત્ય, પરિવાર અને નગરના લોકોને પ્રિય થઈ પડે, પછી કઈ એક વખતે, રાજા અનેક નાટકના અને ગાયનેના રસમાં નિમગ્ન થઈ સભામાં બેઠા હતા, એટલામાં ગુણોના પેટે થએલી દેવાંગના સરખી સ્વરૂપવાન એવી જયસુંદરી નામની રાજકન્યા ત્યાં આવી. આ કન્યા કોને આપવી એ રાજાના: 24 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221