Book Title: Hari Vikram Charitra
Author(s): Bhagubhai F Karbhari
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 183
________________ 178 ટામાં ક્ષીણ થવા લાગી. ઘણું મધુર ભાષણે કરવામાં કુશળ અને દક્ષ એવા ભાટ લોકોના સમુદાયે પ્રભાતકાળ વખતે ગ્ય અને જ્ઞાનાર્થક એવા મંગળ સ્તુતિ ભાપણ શરૂ કર્યા. જાણે ચંદ્રના વિયેગથી નિત્પલ નયન, એવા રાત્રિના તારાઓ મુછ પામી ગયા. પછી વીરસેન અંતને નમસ્કાર એમ બેલી, રાજહંસ ઉઠે છે, એ પ્રમાણે શય્યા પરથી ઉઠા. પ્રભાતનાં કૃત્યોમાંથી પરવારી અને પછી જીનપુજા કરી પુર્વદિશામાંથી સૂર્ય બહાર પડે છે, તે પ્રમાણે તે બહાર પડો. પછી તે નરાધિશ મણિરત્નથી નિમણુ કરેલ, અને દિવ્ય વસ્ત્રોનું છત આપેલું છે, એવા અભિષેક સ્થાનના ભવ્ય મંડપમાં પઠે. તે માંડવામાં સુગંધને ધમધમાટ છુટી રહ્યા હતા, એવી પુષ્પમાળેથી પુષ્પગ્રહ તૈયાર કર્યું હતું, અને તેની આસપાસ હાથમાં અનેક શસ્ત્ર ધારણ કરેલા એવા મોટા દ્ધાઓને ઉભા રાખ્યા હતા. સેવા સારૂ આવેલ રાજાએ પિતપોતાના યોગ્ય સ્થળે બેસી ગયા હતા. અને મણિરત્નથી ભરપૂર એવા સિંહાસને પણ ઠેકઠેકાણે ગોઠવી મૂક્યા હતા. રાજ્યાભિષેક સારૂં વિદ્યાધરોએ આ ણેલી તિથદિક વસ્તુઓ પણ ઘણી જગા રોકી હતી. વિદ્યાધર સ્ત્રિયોએ મંગલધ્વનિને આરંભ કર્યો હતો, અને વિદ્યાધરે પિતપોતાના નિમેલા કાર્યો કરવા સારૂ આમતેમ ફરતા હતા. સૂર્ય પૂર્વ દિશાને ભૂષિત કરે છે તે પ્રમાણે વીરસેનના દાસ બની રહેલા ભૂપસમૂહને અવલોકન કરતા કરતા સિંહાસનને ભૂષિત કર્યું (ઉપર ચડા,) ત્યાં ગોર વગેરેએ સર્વ શાંતિ કર્મ વગેરે આટોપી લીધું હતું, જેશીઓ નિશ્ચિત મૂહર્ત સાધવા સારૂ શંકુ સ્થાપન કરી તેની છાયાં તરફ જોતા હતા. વિચિત્રમશે પિતે છત્ર ધર્યું હતું. શેખર, અશેક પ્રભુતિ રાજાઓ હાથમાં કલશ લઈ ઉભા રહ્યા હતા. બાકીના સર્વ પિોતપોતાની ગ્યતા પ્રમાણે બીજા રાજ ચિહે પિતાના હાથમાં ધારણ કરી સાવધાન થઈ વીરસેન તરફ એકી નજરે જોઈ રહ્યા હતા. દ્વારપાળને શબ્દ થયો કે શું? એવી શંકાથી બીજા માંડવામાંના સર્વ લોકો ચિત્ર પ્રમાણે સ્તબ્ધ ઉભા રહ્યા હતા. એટલામાં લગ્ન (વખત) પાસે આવતાં જ પુણ્યાહ વાચન પૂર્વક સર્વ રાજાએ એકદમ તેને રાજ્યાભિષેક કર્યો. વિધિથી ભરતખંડના અર્ધી રાજનું સ્વામિત્વ તેને પ્રાપ્ત થઈ તેના દિવસો સુખમાં ગયા. પછી પૂર્વ દેશમાંના મહેંદ્રપ્રભુતિ રાજાએ પોતાના દેશમાંની ઉત્તમ વસ્તુઓ રાજાને ભેટ આપી તે વીરસેને પણ સર્વ રાજાઓને અનેક પ્રકારના નજરાણાં આપ્યાં, અને તેમને સત્કાર કરી તેમના દેશમાં વિદાય કર્યા. અશેક વિદ્યાધર અને શેખરરાજને પણ મિત્રભાવથી સત્કાર કરી તેમને પોતપોતાને ઘેર મેકલ્યા. વીરસેન મહારાજ ફકત અનેજ ચક્રવતી નહોતે, પણ ભરતખંડનું નિષ્કટક અડધું રાજય લઈ તેનું પાલન કરતે હતે, ઈદ્ર ઈંદ્રાણી સાથે જે પ્રમાણે સુખને ઉપભોગ લે છે, તે પ્રમાણે મહારાજ વીરસેન ચંદ્રશ્રી સાથે વિષયાદિ સુખને ઉપભોગ લેતે હતા. વીરસેનના આવી રીતે ઘણા વર્ષો વીતિ ગયા પછી, તેને ચંદ્રશ્રીના પેટે સુલક્ષણ પુત્ર પ્રાપ્ત થયો. તેનું નામ અમરસેન હતું. સર્વ લક્ષણ સંપન્ન એ તે પુત્ર વન દશામાં પ્રાપ્ત થયા પછી તેને યુવરાજ બનાવ્યા આવી રીતે રાજાધિરાજવીરસેન પિતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221