________________
4 વિનયધર્મ P
Cen ગયા, પણ તેમના ૫૦૦ શિષ્યોનું શું થયું? ત્યાં તો વિનયની પરાકાષ્ઠા આવી કે પોતાના ગુરુ ઇન્દ્રભૂતિને છોડી તેઓ મહાવીરના શિષ્ય બની ગયા. આવ્યા હતા અહંકારનો ભાર લઈને અને સમક્તિ પામી હળવાફૂલ બની ગયા. વિનયનો દીપક પ્રગટાવી આત્માના ઘરને પ્રકાશથી ભરી દીધું. ક્યાય મોહનીયને શાંત કર્યો, સ્વની સાધના વધારી, ઉપશાંતતાની ઉપલબ્ધિ પામી, બહિર્મુખતામાંથી અંતર્મુખતા તરફ પ્રયાણ કરી આત્માનું કલ્યાણ સાધ્યું.
ઇન્દ્રભૂતિ આવ્યા ત્યારે મિથ્યાત્વી હતા અને ભગવાનથી ઉંમરમાં પણ મોટા હતા. છતાં વિનયે ચમત્કાર સર્યો. ભગવાન મહાવીર મળતાં તેમને સુદેવ મળ્યા. તેમના ૫૦૦ શિષ્યોને કુગુરુમાંથી સુગુરુ મળ્યા. પછી તીર્થની સ્થાપના થઈ ત્યારે ૪૪૧૧ (૪૪૦૦ શિષ્ય +૧૧ ગણધર) કુધર્મમાંથી સુધર્મમાં સ્થાપિત થઈ ગયા. આ છે વિનયધર્મની કમાલ! આ છે વિનયધર્મની સમૃદ્ધિ !
આત્મવિકાસ એટલે મિથ્યાત્વની તળેટીથી સિદ્ધિના શિખર સુધીનો પ્રવાસ. એકવાર મિથ્યાત્વ છૂટે એટલે જીવનો ઉદ્ધાર નક્કી જ થઈ જાય છે. ગુણસ્થાનકમાં પણ પહેલું જ ગુણસ્થાનક મિથ્યાત્વનું છે. આ મિથ્યાત્વે ૨૫ પ્રકારનાં છે. તેમાં એક અવિનય મિથ્યાત્વ છે. પ્રભુ, ગુરુજન, વડીલજન, માતાપિતા આદિના વિનય વગર જીવ ક્યારેય લક્ષ્યાંક પાર કરી શકે જ નહીં. આત્મવિકાસમાંથી વિનયની બાદબાકી કરીએ તો શેષ શુન્ય જ રહે છે.
પહેલા ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનકે અર્થાત્ મિથ્યાત્વ દશામાંથી સમક્તિ પ્રાપ્ત કરવા માન મોહનીયનો વિજય અર્થાત્ વિનયધર્મ અસરકારકરામબાણ ઈલાજ છે. શ્રેણિક રાજા અનાથીમુનિને જોતાં તેમના નાથ બનવાની તૈયારી દાખવે છે. ત્યારે અનાથીમુનિ સનાથ-અનાથનો સાચો અર્થ સમજાવે છે. મુનિની સ્વાનુભવયુક્ત વાણીથી રાજા અત્યંત સંતુષ્ટ અને પ્રભાવિત થયા અને સ્વીકાર્યું કે ‘વાસ્તવમાં હું જ અનાથ છું, મુનિ તો સનાથ જ છે.' શ્રેણિક રાજાએ મુનિને શ્રદ્ધાપૂર્વક વંદના કરી વિનય કર્યો અને સપરિવાર ધર્મમાં અનુરક્ત થઈ ગયા. મુનિની પરમભક્તિથી તેમણે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી લીધું. (ઉત્તરાધ્યયન સૂત્ર).
તેનાથી વિપરીત નંદ મણિયારે ભગવાન પાસે બાર વ્રત ધારણ કર્યા અને પછી સત્સંગ છૂટી ગયો. વાવમાં આસક્ત બન્યા, લોકોની પ્રશંસામાં પ્રસન્ન રહેવા લાગ્યા, માન મોહનીયમાં મસ્ત બન્યા અને આત્મવિકાસથી વિમુખ થયા.
૩૯
છCC4 વિનયધર્મ PC Cren પશ્ચાત ભવમાં દેડકો બન્યા. ફરી પ્રભુની આજ્ઞાનો વિનય કર્યો અને આત્મશ્રેય સાધ્યું. માનવના ભવમાં ડૂબીને તિર્યંચના ભવમાં તરી ગયા. (જ્ઞાતાધર્મકથા સૂત્ર).
વિનય શિથિલાચારી અને આત્મવિકાસના માર્ગથી દૂર ગયેલા ગુરુને પણ મોક્ષમાર્ગે ચડાવી શકે એવી તાકાતવાન છે. તેનું જવલંત ઉદાહરણ ગુરુ શૈલક રાજર્ષિ અને શિષ્ય પંથકમુનિ છે. બીજી બાજુ, વિનય પોતાને તો કેવળજ્ઞાન અપાવે, સાથેસાથે પોતાના ગુરુને પણ કેવળી બનાવી દે તેવો શક્તિશાળી છે. (મૃગાવતી-ચંદનબાળા) અરે ! ગુરુને પણ કેવળી બનાવી દે તેવો અસરકારક છે. (ભદ્રસેનમુનિ-ચંડરુદ્રાચાર્ય).
પાર્શ્વનાથ ભગવાન અને મહાવીરસ્વામીના ધર્મશાસન વચ્ચે ૨૫૦ વર્ષનો સમયગાળો હતો. તેથી મહાવીરસ્વામીનો શાસનકાળ હતો ત્યારે પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના સંતો અને શ્રમણોપાસકો વિદ્યમાન હતા. બંને પરંપરાના સંતોનું એક મોક્ષપ્રાપ્તિનું જ લક્ષ્ય હોવા છતાં વ્રત વગેરેમાં વિભિન્નતા અંગે વિચારણા અર્થે પાર્શ્વનાથ પરંપરાના કેશીકુમાર શ્રમણ અને મહાવીર સ્વામીની પરંપરાના ગૌતમસ્વામીનું સુભગ મિલન થયું. ગણધર ગૌતમસ્વામી જ્ઞાનમાં અને પદમાં મહાન હોવા છતાં કેશીસ્વામીની દીક્ષા પર્યાયની અને કુળની જ્યેષ્ઠતાને સ્વીકારીને સ્વયં કેશીસ્વામી પાસે ગયા. તો સામે કેશીસ્વામીએ પણ ગૌતમસ્વામીનો વિનયસત્કાર કર્યો. આવો વિનય જ આત્મવિકાસની પગદંડી પર ચાલતા સાધકને કલ્યાણના શિખરે પહોંચાડે છે. પોતાની મહાનતા છોડી લઘુતા સ્વીકારીને ગૌતમસ્વામી મહાન બની ગયા અને વિનયધર્મની એક મિશાલ બની જૈન દર્શનમાં અમર બની ગયા.
આત્મવિકાસના માર્ગે કોઈ પણ સાધકે, કોઈ પણ સ્થિતિમાં કે કોઈ પણ સ્તરે બિનશરતી વિનય કરવો અનિવાર્ય જ બને છે. આ ધમો-આજ્ઞા એ જ ધર્મ છે. એ ચૌદચૌદ ગુણસ્થાનકના પાયામાં રહેલું આવશ્યક તત્ત્વ છે. જ્યાં આજ્ઞાને જ ધર્મ મનાય ત્યાં વિનય તો સિક્કાની બીજી બાજુ છે. ક્યારેક બહુમાનથી, આદરભાવથી, ઉપકારી હોવાથી, પૂજનીય હોવાથી વિનયધર્મ બજાવવામાં આવે છે, તે વિનય પણ સાધકને લાભદાયી જ પુરવાર થાય છે.
સાધક ગમે તે પદવી પર હોય, વિનય વિના ઉદ્ધાર નથી. મલલી ભગવતી તીર્થકર જન્મથી ત્રણ જ્ઞાનના ધામી હોવા છતાં માતા-પિતાનો વિનય કરે. ગણધર ચાર બુદ્ધિ અને ૧૪ પૂર્વના સ્વામી હોવા છતાં તીર્થંકરનો વિનય
+ ૪૦ +