Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 76
________________ ©©4 વિનયધર્મ PC Cren આજ્ઞાપૂર્ણક વતન કરવું તે વિહારનો વિનય-વિવેક છે. આપણે કારમાં મુસાફરી કરી જતા હોઈએ અને વિહારમાં જઈ રહેલ સંતો મળે તો ઊભા રહી વંદનવિધિ કરી શાતા પૂછી આપણી પાસે હોય તો દવા, પાણી, આહાર, ઉપકરણ વગેરેનો ખપ હોય તો વિનયપૂર્વક પૂછી વહોરાવવા વિનંતી કરવી જોઈએ. (જૈન ધર્મના અભ્યાસુ રમેશભાઈ નિવૃત્ત બૅકમૅનેજર છે. સ્વાધ્યાય અને સાધુ-સંતોની વૈયાવચ્ચમાં રસ ધરાવે છે). 6 4 વિનયધર્મ Peon કર્મમુક્તિ અને સિદ્ધાલયમાં લોકાગ્રે સ્થિરતા, સંક્ષેપમાં અનાદિના દુઃખથી શાશ્વત સુખ સુધીની ભવોભવની મહાયાત્રા. ચારે ગતિમાં આમ વિનય અને વિહાર શબ્દનું સંક્ષિપ્ત સ્વરૂપ જાણ્યા પછી સમન્વયરૂપ ત્રીજા-ચોથા મહત્ત્વના ગુણવિવેક અને વૈયાવચ્ચને સ્પર્શી સમાપન કરું છું. આ તીર્થંકર પરમાત્માનો ક્રમ છે તેમાં સર્વપ્રથમ વિહારમાં તીર્થંકરદેવ ચાલે, પાછળ ગણધર ચાલે, છેલ્લે શેષ સાધુ ચાલે... આ ક્રમમાં વિનયગુણ જાળવવાનો છે. આ કાળમાં વિહારમાં ગુરુ-શિષ્યો અભિપ્રેત છે. વિહાર દરમિયાન ‘વિનય’ગુણના લક્ષણ જાણી ગુરુની આગળ-પાછળ ચાલવા સાથેનાં વિધિ-નિષેધ જાણી વિનયધર્મનું પાલન ઉપરાંત પ્રત્યેક સ્થળોએ ગોચરી, ઉતારાની વ્યવસ્થા વગેરેમાં વૈયાવચ્ચ દ્વારા શિષ્યોએ યાવત્ ગુરુને શાતા ઉપજાવવાની છે. અહીં વિનય-વિવેક-વૈયાવચ્ચ વગેરે બધા ગુણો કેળવી વિકસાવવાના છે. આમ આ બન્ને વિષય વિહાર-વિનય ગહન છે, લાંબી સંયમયાત્રાના સમાન છે. એટલે સંક્ષેપમાં વિનયગુણ કેળવી, વિહાર દરમિયાન સુખ-શાતા સગવડમાં વિવેકપૂર્વક યોગદાન આપી સંયમયાત્રાને સફળ બનાવવાની છે. શ્રી સંઘો અને શ્રાવકોએ સંતોની વિહારયાત્રા સંદર્ભે નીચે પ્રમાણે વિનયવિવેક જાળવવો જરૂરી ગણાય. વિહારના રસ્તે અગાઉથી જઈ રસ્તો, વાહનવ્યવહારની અવરજવર, જંગલ, ઢાળ-ઘાટ વિગેરેની જાણકારી મેળવી લેવી જોઈએ. * પગપાળા વિહાર ન કરી શકનાર રૂણ કે વૃદ્ધ સંતો માટે વ્હિલચેરની વ્યવસ્થા. * જ્યાં રોકાવાનું છે તે સ્થળની તપાસ. ગોચરી વગેરેની શું વ્યવસ્થા છે તેની જાણકારી. વિહારમાં સાથે શ્રાવક-શ્રાવિકા સાઈકલ સાથે એક વ્યક્તિ વગેરેની વ્યવસ્થા. રસ્તામાં અકસ્માત નિવારવા રેડીયમ પટ્ટી. દરેક સંઘમાં વિહાર સુરક્ષા-વૈયાવચ્ચ લક્ષે યુવાન-યુવતીઓની એક વિહાર બ્રિગેડની આવશ્યકતા જરૂરી છે, જે વિહારમાં દવા ફર્સ્ટ એઈડ બોક્ષ વગેરે સાથે રાખી શકે. વિહારમાં સાથે હોય તેમણે સંતોની સમાચારી પ્રમાણે તેમને શાતા ઉપજે તેમ - ૧૪૩ - ॥ विनयस्स संपत्ति अबिनयस्स विपत्ति ॥ વિનયવાનને ત્યાં સંપત્તિ આવે અને અવિનય હોય ત્યાં વિપત્તિ.

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115