Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
તિમણે નિશાળે ખેલી; અને નવાં પાઠય પુસ્તકો રચવા સાથે જે જે ભાષાના પરિચયમાં આવ્યા તેના કેશ, વ્યાકરણ અને તે તે પ્રજાને ઈતિહાસ તૈયાર કરવા તેઓ મધ્યા. આ જુદી જુદી મિશન સંસ્થાઓએ હિન્દીઓની કેળવણુમાં કિમતી હસે આપેલ છે. આપણા ભાષાસાહિત્ય અને ઈતિહાસના ગ્રંથે આરંભમાં રચવા સંબંધી એમની સેવા અવગણાય એવી નથી; એથી પણ વધારે મહત્વની એમની સેવા પછાત અને દલિત કેમના ઉદ્ધારની છે; જનસેવાની છે અને તે માટે હિન્દી પ્રજા એમની સદા ત્રણ રહેશે.
તથાપિ શરૂઆતમાં માબાપે એમનાં બાળકોને મિશનરી શાળામાં મિકલતાં બીતાં; તેઓ વટલી જાય એવી તેમને દહેશત રહેતી અને તે ભીતિ અકારણ નહોતી. એ ધમન્તરનો(Conversion) ભય હિન્દના સર્વ પ્રાન્તોમાં જણાતું અને કંપની સરકારે સન ૧૮૫૦ નો ૨૧ મે એકટ* પરધર્મમાં વટલી જનાર બાપીકી મિલકતને કે વારસાનો હક નહિ ખુએ એ મતલબનો પસાર કરી મિશનરીઓનું એ પ્રચાર કાર્ય સરલ કરી આપ્યું હતું, અને એવા પરધર્મમાં વટળાવાના બનાવથી લોકોમાં કેવો ખળભળાટ થતો તેનું એક દૃષ્ટાંત આપણને “નંદશંકર ચરિત્ર'માંથી મળી આવે છે. મી. વિનાયક લખે છે, કે “ વિદ્વાન પાદરી મોન્ટગેમરીના ફંદામાં ફસી નસરવાનજી માણેકજી નામના એક પારસી યુવકે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો. હે હા થઈ ગઈ. પારસી જેવી સાહસિક કોમ પણ ઈગ્રેજી શિક્ષણથી વ્હીવા લાગી. હિન્દુઓના સરખાવે:
" इंग्रेजी राज्यांतील पहिला मराठी-इंग्रेजी कोश केरी या मिशनच्याने' વિત્ર શાસ્ત્રારા સારાર્થ રહ્યા.”
[ વિવિઘજ્ઞાનવતાર, જાન્યુ. ૧૬૩૨] *“So much of any law or usage now in force within the territories subject to the Govenment of the East India Company as inflicts on any person forfeiture of rights of property or may be held in any way to mar or affect any rights of inheritance by reason of his or her remaining or having been excluded from the communion of any religion or being deprived of caste shall cease to be in force as law in the Courts of the East India Company and in the courts est al!:shed by Royal Charter within the card Gerritories ".