Book Title: Gnaayakbhaav
Author(s): Kahanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 17
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ જ્ઞાયક ભાવ અહા ! જ્ઞાયક ભાવ કે જે એકરૂપ વસ્તુ છે તે શુભાશુભભાવરૂપે થઈ નથી તેથી અપ્રમત્ત, પ્રમત્ત એવા તે ગુણસ્થાનના ભેદો જ્ઞાયક ભાવમાં નથી. એટલે કે ચૈતન્યની એકરૂપરસ-જાણક સ્વભાવની એકરૂપરસ-બીજારૂપે, એ શુભાશુભ ભાવ પણ થયો નથી. પરંતુ એ જ્ઞાયકરૂપે, એકરૂપ રસ રહ્યો નથી. શ્રોતા:- આમાં કાંઈ સમજાતું નથી. પૂ. ગુરુદેવશ્રી:- કાંઈ સમજાતું નથી? અહીં કહે છે કે જ્ઞાયક ભાવ તો ચૈતન્ય સ્વભાવના રસરૂપે જ રહ્યો છે. તેને અચેતનનો અંશ અડ્યો નથી. માટે ચૈતન્યરસ જ્ઞાયકરસઅચેતનના શુભાશુભભાવપણે થયો નથી. અહા ! જ્ઞાયક અસ્તિત્વરસ કે જેની હયાતી શાયકસ્વભાવરૂપ છે તે શુભાશુભભાવપણે થયો નથી. અર્થાત્ શુભાશુભભાવથી તે પૃથક છે. કેમ કે તે જ્ઞાયક ભાવે જ રહ્યો છે. માટે તેને પ્રમત્ત-અપ્રમત્ત એવા ભેદ લાગુ પડતા નથી. અહા ! સમજાણું કાંઈ ? શ્રોતા - અપ્રમત્ત એ અશુદ્ધ પરિણામ? પૂ. ગુરુદેવશ્રી:- હા, કેમ કે તે ભેદ છે ને! કેવળજ્ઞાનનું તેરમું ગુણસ્થાન પણ આત્મામાં નથી. અરે! ચૌદમું ગુણસ્થાન પણ આત્મામાં નથી. કેમ કે તે ભેદ છે ને! તેમ જ તે દરેકમાં ઉદયભાવ પણ છે ને! અહીં કહે છે કે એ જ્ઞાયક ભાવ શુભાશુભભાવપણે થયેલ નથી. તેથી તે અપ્રમત્ત-પ્રમત્ત નથી. અને તેથી તે ગુણસ્થાનના ભેદરૂપ થયેલ નથી. અને છેલ્લે ગાથા ૬૮માં ગુણસ્થાનને તો અચેતન પર્યાય કીધો છે ને? આ તો ભાઈ ! અલૌકિક વાત છે. એણે અનંતકાળમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115