Book Title: Gnaayakbhaav
Author(s): Kahanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 85
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ " જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે’-જે ગુણસ્થાનના ભેદ છે, જે ચૌદ ગુણસ્થાન છે એ તો અશુદ્ધનયનો-વ્યવહારનયનો-વિષય છે. તેથી તે વસ્તુમાં નથી. અહા! ચૌદ ગુણસ્થાનના ભેદ પણ વસ્તુમાં નથી હો. પહેલું, બીજું, ત્રીજું, ચોથું એમ કરતાં ચૌદમું ગુણસ્થાન છે એ તો અશુદ્ઘનયનો વિષય છે, પર્યાયનો વિષય કહો કે અશુદ્ઘનયનો વિષય કહો કે વ્યવહારનયનો વિષય કહોત્રણેય એક જ છે. તો, એ ‘જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે'. પાઠમાં હતું ને? કે અપ્રમત્ત-પ્રમત્ત..... જોકે પાઠમાં ન વિ હોવિ આપમત્તો ન પમત્તો-અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી એમ છે. (જ્યારે ભાવાર્થ પ્રમત્ત-અપ્રમત્ત એમ છે.) પરંતુ એ તો પછી સામાન્યપણે સમજાવ્યું છે, કેમ કે પ્રમત્ત પહેલાં હોય છે ખરું ને! પ્રમત્ત પહેલાં હોય છે. પહેલેથી છઠ્ઠું ગુણસ્થાન અને પછી સાતમાથી ચૌદમા ગુણસ્થાનની અપ્રમત્તની ધારા હોય છે, એટલે અહીં ( ભાવાર્થમાં ) સમજાવવામાં જે પહેલું છે તેને પ્રમત્તને પ્રથમ લીધું છે. ૮૨ તો, કહે છે કે આત્મા કે જે જ્ઞાયકભાવે બિરાજમાન છે તેમાં પ્રમત્ત-અપ્રમત્તના ભેદ નથી. કેમ કે તે શુભાશુભભાવપણે થયો નથી, એટલે કે તે જડપણે થયો નથી. માટે પ્રમત્ત અપ્રમત્તના ભેદ એ વસ્તુમાં નથી. સમજાણું કાંઈ ? આવો ઉપદેશ ? કાંઈ વાર્તા હોય તો સમજાય પણ ખરું? અથવા ઘરે વાતુ થાતી હોય એવી વાતુ કરો તો પણ સમજાય ! અરે બાપુ! એ તો તારા ઘરમાં કોઈ દિ' થાતું નથી. અરે ! તારી પર્યાયમાં પણ કોઈ દિ' થાતું નથી એવી Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115