Book Title: Gnaayakbhaav
Author(s): Kahanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૩
જ્ઞાયક ભાવ વાત છે. તો સર્વજ્ઞ ત્રિલોકનાથ પોકાર કરે છે કે અમે જે સર્વજ્ઞ થયા એ સર્વજ્ઞપણામાંથી સર્વજ્ઞસ્વભાવમાંથી–થયા છીએ. એ સર્વશપણું કાંઈ બહારથી આવ્યું નથી. એમ તારો ગુણ પણ સર્વજ્ઞસ્વભાવી છે. તો એ પોતે જે સર્વજ્ઞસ્વભાવ છે તે કોઈ દિ' રાગપણે અલ્પજ્ઞપણે થયો જ નથી. અહા ! જ્ઞાયકપણું, સર્વજ્ઞપણું એવું જે તારું સત્વ છે તે કોઈ દિ' અલ્પજ્ઞપણે થયું જ નથી. તો પછી તે રાગપણે તો થાય કયાંથી જ ?
તો, કહે છે કે જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે તે તો પદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. જ્ઞાયકભાવમાં શુભાશુભ તેમ જ પ્રમત્ત-અપ્રમત્ત પર્યાય પણ નથી. માટે તેમાં ભેદ નથી. ભેદ તો પરદ્રવ્યના સંયોગને લક્ષે થયેલા છે. અહા ! તે પરદ્રવ્યના સંયોગજનિત છે. એટલે કોઈ સંયોગે તેમને ઉત્પન્ન કરાવ્યા છે એમ નથી. પરંતુ સંયોગજનિત કહેતાં તે સંયોગના લક્ષે ઉત્પન્ન થયેલા છે.
આખી કલાક આવો બધો ઉપદેશ? યાદ શી રીતે રહે? બાપુ! તું અનંત કેવળજ્ઞાનનો ધણી છો ને નાથ ! ત્રણ કાળ અને ત્રણ લોકને જાણ એવી નથી ! તારામાં શક્તિ પડી છે. તો પછી તેમાં આવી સાધારણ વાતને ન જાણી શકે એમ ન હોય ભાઈ ! ન સમજાય”—એમ કહેતાં પ્રભુ! તને કલંક લાગે છે. કેમ કે એ તો જ્ઞાયકપણાનો પીંડ છે ને! છતાં એ કહે કે મને ન સમજાય? પર્યાયમાં ન સમજાય?
અહીં કહે છે કે જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે તે તો પદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે–પરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115