Book Title: Gnaayakbhaav
Author(s): Kahanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 109
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૧૦૬ ભાવ છે. જેમ શુદ્ધતા ત્રિકાળ છે તેમ પર્યાયમાં અશુદ્ધતા પણ છે. અને તે અશુદ્ધતા દ્રવ્યે કરી છે. ભલે તે અશુદ્ધતા પર્યાયે કરી છે. પણ તેને પર્યાયમાં રાખી છે. માટે અશુદ્ધતા પર્યાયમાં છે. પણ ફક્ત ફેર એટલો છે કે ત્રિકાળી ચીજ સ્વતઃ સ્વાભાવિક વસ્તુ છે. જ્યારે પુણ્ય-પાપના ભાવ સંયોગી છે, કર્મના લક્ષે થાય છે. ‘અશુદ્ઘનયને અહીં ય કહ્યો છે.' કેમ? કારણ કે અશુદ્ઘનયનો વિષય સંસાર છે ને પુણ્ય-પાપના ભાવ સંસાર છે, દુઃખ છે. તો, શાયક જ ઉપાદેય છે અને પુણ્ય-પાપ હૈય છોડવાલાયક છે એમ કહેવામાં આવ્યું છે. પણ જેને છોડવાલાયક કહેવામાં આવ્યા છે તે, ‘છે’ તો તેને છોડવાલાયક કહ્યા છે તે છે જ નહીં? તો, એ વાત કહે છે. અંદર છે ને! કે શુભાશુભનો વિષય સંસાર છે. ત્રણ લોકનો નાથ જ્ઞાયકસ્વરૂપ ચૈતન્ય પ્રભુચૈતન્ય પ્રકાશનો પૂંજ પ્રભુ-આત્મા સિવાય જે પુણ્ય ને પાપના ભાવ થાય છે તે સંસાર છે. સંસરળ વૃતિ સંસાર: જેનાથી સંસરણ-પરિભ્રમણ ઉત્પન્ન થાય તેનું નામ સંસાર કહે છે. તો એ બે પુણ્ય ને પાપ ભાવ સંસરળ-સંસાર છે. તે વર્તમાનમાં સંસારરૂપ છે અને ભવિષ્યમાં પણ પરિભ્રમણના બીજડાં છે. અહીં તો કહે છે કે પ્રભુ! તું જાણકશક્તિનું તત્ત્વ છે. માટે તે રાગનું અને ૫૨નું કેવી રીતે કરી શકે? તે રાગ અને પુણ્યપાપનો કર્તા છે તેમ જે તું જાણે છે તે જ તારો સંસાર છે, રખડવાની ચીજ છે. અને સંસારમાં આત્મા કલેશ ભોગવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115