Book Title: Gnaayakbhaav
Author(s): Kahanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 111
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮ જ્ઞાયક ભાવ તેને ભિન્ન કરીને પોતાનો અનુભવ કરવો તે જ સંસારના નાશ કરવાનો ઉપાય છે. પણ બીજો કોઈ ઉપાય છે નહીં. તો કહે છે કે ‘ પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે ક્લેશ મટે ' શુભ-અશુભભાવ તે ક્લેશ છે, સંસાર છે, દુઃખ છે. માટે તેનાથી ભિન્ન થઈને પોતાના ત્રિકાળ ચૈતન્યસ્વરૂપ, આનંદસ્વરૂપ ભગવાન આત્માનું કે ĝ મોજુદગીવાળી ચીજ છે, કાયમી ચીજ છે તેનું શરણ લેવાથી સંસાર છૂટી જાય છે, દુ:ખ છૂટી જાય છે. એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધનયનો ઉપદેશ પ્રધાન છે. કહે છે કે શુદ્ધનયનો વિષય જે ત્રિકાળ આનંદસ્વરૂપ આત્મા છે તે જ ‘છે’ અને પુણ્ય-પાપ અસત્ છે એમ જે કહ્યું છે તે શુદ્ધનયનો વિષયનો આદર કરવા માટે મુખ્યપણે કહ્યું છે. અર્થાત્ શુદ્ધનયનો વિષય જે ધ્રુવ છે તેનો આદર કરવા માટે તે વસ્તુ સત્ય છે એમ કહ્યું અને પુણ્ય-પાપના જે અશુદ્ધભાવ છે તે સ્વભાવની અપેક્ષાએ અસત્ છે. કેમ કે સ્વભાવમાં નથી. તે અપેક્ષાએ તે નથી એમ કહ્યું છે, સમજાણું કાંઈ ? અહા ! શુદ્ધનયનો ઉપદેશ પ્રધાન છે' પ્રધાન-મુખ્ય મુખ્ય એટલે શું? કે ત્રિકાળ જ્ઞાયકભાવ છે તેનું શરણ લે. તેનાથી તું દૂર રખડે છે તો હવે તેની સમીપમાં જા. આનંદનો નાથ ચૈતન્ય ભગવાન આત્મા કે જે મોજુદગીવાળી ધ્રુવ ચીજ છે..... ઓલા બોલ છે ને ! કે ‘ ધ્રુવધામના–ધ્યેયના ધ્યાનની ધખતી ધુણી Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115