Book Title: Gnaayakbhaav
Author(s): Kahanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 91
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૮ જ્ઞાયક ભાવ અહીંયા કહે છે કે ધરમ કરવા માટે જે સત્ય દષ્ટિ છે એવી ત્રિકાળીની દષ્ટિ કરાવવા માટે-પર્યાય દષ્ટિને અર્થાત્ મલિનતા અને ભેદની દૃષ્ટિને ગૌણ કરી છે. અહા ! ત્રિકાળીની દષ્ટિ સત્યદષ્ટિ છે, કેમ કે વસ્તુ સત છે, ત્રિકાળ મોજુદ ચીજ છે. તો, મોજુદ ચીજ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની દૃષ્ટિ કરવી તે નિશ્ચય સમ્યગ્દર્શન છે કે જેનું નામ હજી ધરમનું પહેલું પગથિયું છે. જ્યારે ચારિત્ર તો કયાંય રહી ગયું. એની તો બહુ આકરી વાત છે. તો કહે છે કે “દ્રવ્યદષ્ટિ શુદ્ધ છે અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે,” પરમાર્થ એટલે પરમ પદાર્થ એ વસ્તુ પરમાર્થ છે. પણ “અમે પરોપકાર કરીએ છીએ એ પરમાર્થ છે” એમ જે કહે છે તે બધી ખોટી વાત છે. કેમ કે કોઈનું કોઈ કરી શકતું નથી. તો, પરમાર્થ-પરમ પદાર્થ-તો પોતે પ્રભુ છે. ત્રિકાળી પરમ પદાર્થ એ પરમાર્થ છે કે જેની દષ્ટિ કરવાથી જન્મમરણના અંત લાવવાવાળું સમ્યગ્દર્શન થાય છે. માટે આત્મા જ્ઞાયક જ છે' વસ્તુ છે એ તો ત્રિકાળી જ્ઞાયક.... જ્ઞાયક.... જ્ઞાયક છે, એ તો જ્ઞાનરસમય, જ્ઞાનસ્વભાવી જ્ઞાયકભાવ છે. એટલે કે એ તો ત્રિકાળ જ્ઞાયકભાવસ્વરૂપે છે. આવી ભાષા અને આવું બધું....? બાપુ! મારગ બહુ ઝીણો છે ભાઈ ! આત્મા જ્ઞાયક જ છે, એ તો એક જ્ઞાયક સ્વરૂપ-જાણકસ્વભાવ માત્ર જ છે. કાયમી જાણકસ્વભાવ માત્ર, ત્રિકાળી શાયક સ્વભાવમાત્ર જ આત્મા છે. તેમાં કોઈ મલિનતા કે ભેદ છે નહીં. તેમાં ભેદ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115