________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬
જ્ઞાયક ભાવ કહેવામાં આવ્યું છે. અહીં ! ત્રિકાળી વસ્તુ ભગવાન આત્મા એક સમયમાં ધ્રુવ.... ધ્રુવ.... એમ ચિદાનંદ સ્વરૂપ પ્રભુ છે. અને તેની દષ્ટિ શુદ્ધ છે. એટલે “દ્રવ્યદષ્ટિ શુદ્ધ છે. કેમ કે ત્રિકાળી ચીજ છે તે સત્યાર્થ છે, છતી ચીજ છે. માટે તેની દષ્ટિ પણ શુદ્ધ છે.
જ્યારે સંયોગજનિત અશુદ્ધ પર્યાયની દષ્ટિ તો અશુદ્ધ છે. અર્થાત પર્યાય છે ને વ્યવહાર છે.
અહા! “દ્રવ્યદષ્ટિ શુદ્ધ છે” વસ્તુ છે તેની દષ્ટિ કરવી તે દ્રવ્યદષ્ટિ છે. અને તે શુદ્ધ છે. જ્યારે પર્યાય દષ્ટિ અશુદ્ધ છે, કેમ કે એ પર્યાય તો અશુદ્ધ છે-સંયોગજનિત છે. માટે તેને ગૌણ કરીને વ્યવહાર કહીને અને વસ્તુને મુખ્ય કરીને, નિશ્ચય કહીને તેની દષ્ટિ કરાવી છે. અહા ! દિગંબર સંતોની વાણી બહુ ગંભીર છે, ઘણી ગંભીર છે. બાપુ! એવી ચીજ બીજે કયાંય છે નહીં. શ્વેતામ્બરમાં અને સ્થાનકવાસીમાં કે અન્યમતમાં ક્યાંય આવી ચીજ છે નહીં.
તો કહે છે કે “દ્રવ્યદષ્ટિ શુદ્ધ છે” ત્રિકાળી વસ્તુની દૃષ્ટિ અભેદ છે નિશ્ચય છે... અહા! જે ત્રિકાળી દ્રવ્ય છે તે નિશ્ચય છે અને તેની દષ્ટિ પણ નિશ્ચય છે. “ભૂતાર્થ છે” જે ત્રિકાળી ચીજ છે. તે ભૂતાર્થ છે. ભૂત-છતો ને અર્થ-પદાર્થ. જ્યારે પર્યાય તો પલટતી ક્ષણિક અવસ્થા છે. સંયોગજનિત ભેદ છે. મલિનતા છે. અહા! આ ભૂતાર્થ તો ત્રિકાળી સ્વાભાવિક વસ્તુ છે કે જેને સંયોગની અપેક્ષા નથી. તેમ જ તેને સંયોગના અભાવની પણ અપેક્ષા નથી. સમજાય એટલું સમજો બાપુ! આ તો પરમાત્મા જિનેશ્વરદેવ તીર્થકર ત્રિલોકના નાથની વાણી છે. પરંતુ અત્યારે તો બધી ગડબડ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com