Book Title: Gnaayakbhaav
Author(s): Kahanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 103
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૦ જ્ઞાયક ભાવ છે. તેથી વ્યવહારનય જ છે. અર્થાત્ એ જ્ઞાયકભાવની પર્યાયમાં જે ચૌદ ગુણસ્થાનના ભેદ દેખાય છે તે વ્યવહારનય જ છે. પર્યાય જ વ્યવહારનય છે. જ્યારે દ્રવ્ય નિશ્ચયનયનો વિષય છે. પણ જેને નિશ્ચય વસ્તુનું જ્ઞાન થયું છે તેને ભેદનું અને રાગનું જ્ઞાન પોતાથી પોતાના કારણે થાય છે. એમ આશય જાણવો. કહે છે કે આત્મા છે તે ત્રિકાળ જ્ઞાયકભાવ છે. તેમાં જે આ ગુણસ્થાનના ભેદ કે શુભ-અશુભ, પુણ્ય-પાપના ભેદ છે તે નથી. પણ તે પર્યાયમાં છે. અહા! જે જ્ઞાયકરસ, ચૈતન્યરસમય વસ્તુ છે, અસ્તિ-મોજુદગીવાળી જે ચીજ છે, મોજુદગી ચીજ જે ધ્રુવ વસ્તુ આત્મા છે તે સમ્યગ્દર્શનનો વિષય છે. અર્થાત્ ધર્મનું પહેલું પગથિયું પ્રાપ્ત કરવામાં લચલ, પરિણમન કે પર્યાય વિનાની તે ચૈતન્યરસમય જ્ઞાયક ચીજ કારણ છે. તેમાં હલચલ નથી. અહા! પર્યાય છે તે હલચલ કરે છે, ફરે છે, બદલે છે, જ્યારે ધ્રુવ વસ્તુ છે તે તો હલચલ વિનાની એકરૂપ ત્રિકાળ છે. અર્થાત્ શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુમાં તો પર્યાયનો ભેદ પણ નથી. અને તે વસ્તુ સમ્યગ્દર્શનનો વિષય છે. ધર્મનું પહેલું પગથિયું પહેલી શ્રેણી –જે સમ્યગ્દર્શન છે તેનો વિષય તે એકરૂપ ત્રિકાળી જ્ઞાયકભાવ છે. અને તેની અપેક્ષાએ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય કહો, પર્યાયાર્થિક કહો કે વ્યવહારનય કહો એક જ છે. અને ત્રણેય ત્રિકાળી ચીજમાં નથી. હા, પર્યાયમાં તે છે. અને તે માટે તો તેની વાત કરવી છે. પરંતુ વસ્તુમાં એકરૂપ સદશ ત્રિકાળમાં ચૈતન્ય જ્યોતમાં-ચૈતન્યઘનમાં ચૈતન્ય Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115