Book Title: Gnaayakbhaav
Author(s): Kahanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 74
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૭૧ કરી શકતો જ નથી એ વાત શું કરવી? હા, એ કરી શકે છે કાં પર્યાય-દષ્ટિ અને કાં દ્રવ્ય-દૃષ્ટિ. અહા ! પર્યાય-દષ્ટિએ-અજ્ઞાનભાવે-તે મલિન પર્યાય કરી શકે છે. પણ એથી તે પરનું કાંઈ કરી શકે છે એમ છે નહીં. એને તેથી એ વાત તો લીધી જ નથી. કેમ કે ૫૨ તો ૫૨૫ણે જ છે. માટે તેને બીજો કરે શું? હવે તારામાં બે વાત છેઃ (૧) જો દ્રવ્ય-દષ્ટિથી જોઈએ તો તે શુદ્ધ છે-જે છે તે જ છે-એ પણ બરાબર છે. અને (૨) જો પર્યાય-દષ્ટિથી જોઈએ તો તે મલિન છે. અને તે પણ બરાબર છે. પરંતુ હવે ખરેખર જે ત્રિકાળી ચીજ છે. તેને દષ્ટિમાં લેવા માટે, એ મલિનતા પર્યાયમાં છે..... તે છે હો...... તો પણ તેને ગૌણ કરીને ‘તે નથી ’ એમ કહ્યું છે. અને જે ત્રિકાળી છે તેને મુખ્ય કરીને, નિશ્ચય કહીને, સત્ય કહીને તેનો આશ્રય લેવરાવ્યો છે. આવો ઉપદેશ છે! પર્યાય-દષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે પાછું જોયું? કે દ્રવ્ય જે છે તે જ છે એમ કહેવું હતું તો હવે એ દ્રવ્ય કેવું છે તે કહે છે. અર્થાત્ હવે આત્માને દ્રવ્ય તરીકે લેવો છે ને! એટલે તેની વાત કરે છે. નહીંતર તો બીજાં દ્રવ્યો પણ છે. પરંતુ અહીં દ્રવ્ય જે છે તે જ છે એટલે શું ? કે એનો દ્રવ્યનો-સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે.’ –એ આત્મા પ્રભુ તો Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115