________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨
જ્ઞાયક ભાવ જાણક સ્વભાવી ધ્રુવ માત્ર છે. અનાદિ-અનંત એ વસ્તુ છે. અહીં ! દ્રવ્યથી કહો કે જ્ઞાયકપણાથી કહો-એ બધી એક ચીજ છે. પરંતુ ‘દ્રવ્ય” કહેતાં સામાન્ય છએ દ્રવ્યની વાત થઈ ગઈ. એટલે અહીં
જ્યારે આત્મા કહેવો છે ત્યારે તેને કહ્યું કે એ આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે. અહીં ! દ્રવ્ય તો છે એ છે. અને અશુદ્ધ પર્યાય સંયોગથી થાય છે. એ તો સામાન્ય વાત કરી. પરંતુ હવે એ જે દ્રવ્ય છે તે વસ્તુ કેવી છે? કેમ કે દ્રવ્ય તો પરમાણુ પણ છે અને આકાશ પણ છે. તો, આ જીવદ્રવ્ય જ્ઞાયકમાત્ર છે, જ્ઞાયક પ્રભુ છે. જાણન-સ્વભાવ સ્વરૂપ તે દ્રવ્ય છે. અર્થાત્ દ્રવ્ય તો પરમાણુ છે અને આકાશ પણ છે. પરંતુ તે કાંઈ જ્ઞાયક સ્વભાવ સ્વરૂપ નથી. પણ એ તો જડસ્વરૂપ છે. એ રીતે આત્માનો સ્વભાવ –જ્યારે દ્રવ્ય જે છે તે જ છે તો આત્માનો સ્વભાવ તો જ્ઞાયકપણું માત્ર છે-જાણનસ્વભાવની મૂર્તિ પ્રભુ આત્મા છે. પોતે જાણનસ્વભાવની પૂતળી છે. એટલે કે એકલો જ્ઞાયકભાવ તે દ્રવ્ય છે. મારગ બહુ અલૌકિક છે બાપુ ! પરંતુ એક તો આવું સત્ય છે તે સાંભળવા પણ મળે નહીં તો તે કે દિ' વિચાર કરે અને કે દિ' જે વાસ્તવિક કરવા જેવું છે તે કરે?
અહીં કહે છે કે એ દ્રવ્ય એટલે કે આત્માનો સ્વભાવ અહીંયાં કાયમી દ્રવ્ય લેવું છે ને? એટલે દ્રવ્યનો સ્વભાવ “જ્ઞાયકપણું માત્ર” લીધો છે. અહા! બિલકુલ રાગ, પુણ્ય, સંસાર અને ઉદયભાવ એમાં છે નહીં. એ તો જ્ઞાયકમાત્ર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com