________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ
૬૯ કરતું નથી, કરાવતું નથી. પણ પરદ્રવ્યના સંયોગે પોતે અશુદ્ધપણું ઊભું કરે છે. આવી વાત છે બાપુ! બહુ ઝીણી વાત છે. અનંતકાળમાં તેણે આત્મા શું ચીજ છે તે વાસ્તવિકપણે જાણવાનો પ્રયત્ન જ કર્યો નથી. અને બાકી બધા પ્રયત્નો બહારથી કરી કરીને મરી ગયો છે.
તો કહે છે કે “ત્યાં મૂળદ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી.” એટલે શું કહે છે?
કે અશુદ્ધતા પરદ્રવ્યના સંબંધે આવે છે અર્થાત્ પરનો સંબંધ કરે છે માટે અશુદ્ધતા આવે છે હો. પણ પરને લઈને વિકાર થાય છે એમ નથી. હવે કહે છે કે “મૂળદ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ” એટલે કે વિકારરૂપ થતું જ નથી. અહા ! રાગ એ ખરેખર અન્ય દ્રવ્ય છે પણ સ્વ વસ્તુ નથી. અંદર ભગવાન આત્મામાં જે કંઈ પુણ્ય ને પાપના ભાવ થાય છે તે નિશ્ચયથી અન્ય દ્રવ્ય છે. તો સ્વદ્રવ્ય તે અન્ય દ્રવ્યરૂપે થતું નથી. એટલે કે જે વસ્તુ છે તે ત્રણ કાળમાં વિકારપણે થતી જ નથી.
તો અહીં કહે છે કે મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ એટલે કે અન્ય તત્ત્વરૂપ થતું જ નથી એટલે કે પરદ્રવ્યના નિમિત્તથી અશુદ્ધતા થતી નથી. પણ નિમિત્તના લક્ષે તે થયેલ છે માટે નિમિત્તથી ” એમ કહ્યું છે. અહા ! પર દ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે–અવસ્થામાં મલિનતા છે, પર્યાયમાં મલિનતા છે. જ્યારે વસ્તુ છે તે તો નિર્મળાનંદ પ્રભુ છે. વીતરાગમૂર્તિ ચૈતન્ય પ્રભુ આત્મા તો અનાદિ અનંત વસ્તુ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com