________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ
૬૭ તો કહે છે કે પ્રભુ! તેં તેને-તને તેં-દેખ્યો નથી અને તું જે નથી તેને તું દેખી રહ્યો છો. પર્યાયમાં રહેલા રાગ અને પુણ્ય-પાપના ભાવ કે જે વસ્તુમાં નથી તેને તે દેખીને (પોતાના) માન્યા છે. પરંતુ એ તો પરિભ્રમણનું કારણ છે.
જ્યારે એ પરિભ્રમણનો અંત જેમાં છે એટલે કે જેમાં પરિભ્રમણ અને પરિભ્રમણનો ભાવ નથી એવી ચીજ તું છો પ્રભુ! તું પૂર્ણાનંદનો નાથ ને સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત્ છે, ચિત્રજ્ઞાન તો આત્મા જ્ઞાનાનંદ પ્રભુ છે. પરંતુ તેની દષ્ટિ કરે તેને માટે તે જ્ઞાનાનંદ છે. પણ તેની દષ્ટિ ન કરે તેને માટે જેની દ્રષ્ટિમાં એ વસ્તુ આવી નથી તેને માટે–તો એ સચ્ચિદાનંદ ધ્રુવ છે જ નહીં. આકરું કામ બાપુ!
તેથી અહીં ભાવાર્થમાં કહે છે કે “અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે –પણ વસ્તુમાં અશુદ્ધપણું નથી. વસ્તુ જે ત્રિકાળી ચૈતન્ય પ્રભુ છે–શુદ્ધ અખંડને સચ્ચિદાનંદસ્વરૂપ જે આત્મા છે-તેમાં મલિનતા નથી. અર્થાત્ તેને મલિનતા નથી. પણ પર્યાયમાં મલિનતા થાય છે અને તે અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે એટલે કે સંયોગી ચીજના લક્ષે તે સંયોગીભાવ ઉત્પન્ન થાય છે. અહીં ! સ્વભાવની દષ્ટિથી તેને સ્વભાવ દષ્ટિમાં આવે છે અને સંયોગીભાવના લક્ષે તેને સંયોગી ભાવ લક્ષમાં આવે છે, અશુદ્ધતા તેને દષ્ટિમાં આવે છે, તો તે અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી આવે છે. અર્થાત્ તે છે.' બાપુ! બહુ ઝીણી વાત છે. કેમ કે આ મારગ તો વીતરાગનો છે ને!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com