________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬
જ્ઞાયક ભાવ
જેને રાગ, પુણ્ય ને દયા-દાનનો વિકલ્પ વર્તે છે તેને જે વસ્તુ શુદ્ધ છે તે તો શ્રદ્ધા-જ્ઞાનમાં આવી નથી. પરંતુ તેના શ્રદ્ધાજ્ઞાનમાં તો અશુદ્ધતા આવી છે, પર્યાય આવી છે. અને તે અશુદ્ધતા પર્યાયમાં આવી છે એ યથાર્થ છે. એટલે કે પર્યાયમાં અશુદ્ધપણું છે, પર્યાયદષ્ટિએ અશુદ્ધપણું છે. પણ એ વાસ્તવિક (આશ્રય કરવા યોગ્ય) ચીજ નથી. વાસ્તવિક ચીજ તો ત્રિકાળી જ્ઞાયક આત્મા છે કે જે શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે. અને તે સત્ય છે. જો કે પોતાની અપેક્ષાએ પર્યાય છે ખરી. પણ ત્રિકાળી આત્માની અપેક્ષાએ તે પર્યાયને ગૌણ કરીને તે નથી એમ કહેવામાં આવ્યું છે. છતાં પર્યાય છે, રાગ છે, તે અસ્તિ છે. તે નથી જ-એમ નથી. પરંતુ તે પર્યાય ઉપર દષ્ટિ કરવાથી મિથ્યાત્વ થાય છે અને ભ્રમણ ઊભું રહે છે. માટે એ પર્યાય-રાગાદિ હોવા છતાં એ પર્યાય ઉપરની દૃષ્ટિનો નિષેધ કર્યો છે. તે ચીજ મારામાં નથીએમ તેનો નિષેધ કર્યો છે.
અહા ! જ્ઞાયકવસ્તુ આત્મા ચૈતન્યપ્રભુ છે. તેનું સચ્ચિદાનંદમય સ્વરૂપ છે. તો તેની દષ્ટિ કરતાં, તેની દૃષ્ટિમાં તેનું સ્વરૂપ આવે છે. એટલે કે દૃષ્ટિ કરી ત્યારે તેને સ્વરૂપ ખ્યાલમાં આવ્યું. અને તેને માટે તે શુદ્ધ ને પવિત્ર છે. પરંતુ જેને એ ચીજ ખ્યાલમાં આવી જ નથી તેને માટે ‘તે છે' એ કયાંથી આવ્યું? ઝીણી વાત છે! આ તો મુખ્ય વાત છે. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથે કહેલી, જોયેલી ને જગતને દેખાડવા માટેની આ વાત છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com