________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪
- જ્ઞાયક ભાવ બંધનું જે જ્ઞાન થયું છે તે જ્ઞાનની પર્યાયને જાણે છે. તેવી રીતે મોક્ષની પર્યાયને પણ જાણે છે. આમ, ઉદયને જાણે છે અને મોક્ષને પણ જાણે છે, તે ઉપરાંત ચાર બોલ લીધા છે ને! કે અવિપાક, સવિપાક, કામ અને અકામ નિર્જરાને પણ જાણે છે. અહા! દિગંબર સંતોએ તો ગજબ કામ કર્યા છે! પરંતુ તેને સમજનારા વિરલ જ પાકે. બાકી એવી વાત બીજે કયાંય છે નહીં ભાઈ ! એની ઊંડપની વાતુ અમે શું કહીએ.
કર્તા-કર્મનું અનન્યપણું એટલે કે કર્તા અન્ય છે, અને કાર્ય અન્ય છે એમ હોઈ શકે નહીં. અર્થાત જ્ઞાનની પર્યાયનો કર્તા આત્મા છે અને એ પર્યાય તેનું કામ-કાર્ય છે. પણ રાગાદિને જાણ્યા માટે રાગનું એ કામ છે એમ નથી. કારણ કે કર્તા-કર્મ અનન્ય હોય છે પણ અનેરા-અનેરા નહીં. અર્થાત્ તે જ કર્તા અને તે જ કર્મ હોય છે-તે જ કર્તા અને તે જ તેનું કાર્ય હોય છે. એટલે કે રાગને જાણવા કાળે જ્ઞાન, જ્ઞાનરૂપે જ થયું છે. તેથી તેનો કર્તા પણ જ્ઞાન છે અને તેનું કર્મ પણ જ્ઞાન છે. પણ એ રાગનું જ્ઞાન છે તેથી એ રાગ કર્તા છે અને રાગનું જ્ઞાન એ કાર્ય છે એમ નથી વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઊઠયો તો તેનું અહીં જે જ્ઞાન થયું તે તેને લઈને થયું છે ને? કારણ કે તેમાં કયાં જ્ઞાન હતું કે જેથી તેનાથી જ્ઞાન થાય. તો અહીંયાં-આત્મામાં છે. જેથી તેને લઈને સ્વપરપ્રકાશક જ્ઞાન થાય છે. સમયસાર નાટકમાં આવે છે! કેઃ (સાધ્ય-સાધક દ્વાર).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com