________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩
જ્ઞાયક ભાવ એક લીટીમાં આવો ભાવ ભર્યો છે. ગમે તેટલો વિસ્તાર કરીએ તો પણ એનો તો પાર આવે એવું નથી, બાપા! ભગવાનની વાણી અને તેના ભાવ જે અંતરમાં ભાસે છે એટલા તો ભાષણમાં આવે નહીં. આવી શકે નહીં, આવતા નથી. ભાસે છે તેટલું ભાષણમાં ન આવે. જુઓને! સાક્ષાત્ આવી વાણી પડી છે.
અહીં કહે છે કે તે જ્ઞાયક ભાવ પુણ્ય-પાપપણે થયો નથી. એટલે કે પુણ્ય-પાપના થવાનું કારણ એવો જે શુભાશુભભાવ છે તે પણ પ્રભુ જ્ઞાયક ભાવ તો થયો જ નથી. તેને લઈને એમાં પર્યાય નથી, તેથી પ્રમત્ત-અપ્રમત્ત એવા ચૌદ ગુણસ્થાનના ભેદો પણ એમાં નથી. તો એવો જે અભેદ ભગવાન આત્મા છે-શુદ્ધ અને એકરૂપ જ્ઞાયક પ્રભુ આત્મા છે તે કોને માટે શુદ્ધ કહેવાય ? કોણ તેને શુદ્ધ કહે? કે જેને પરદ્રવ્યનો આશ્રય અને સત્કાર છૂટી ગયો છે. અને જેણે શુદ્ધ તરફનો સત્કાર કરી શુદ્ધનો આશ્રય કર્યો છે તે અર્થાત્ કોઈ અધિક હોય તો પણ હું, શુદ્ધ હોય તો પણ હું ચમત્કારિક ચીજ હોય તો પણ હું અને પ્રભુ હોય તો પણ હું આમ જેને પૂર્ણાનંદ ભગવાન આત્મા સિવાય કોઈ પણ પર ચીજની અધિકતા, વિશેષતા, અચિંત્યતા અને બધો ચમત્કાર છૂટી ગયો છે તે સમજાણું કાંઈ ! આવું છે! અરેરે ! જગતમાં બધા આખી જિંદગી મજૂરી કરીને ચાલ્યા જાય છે. આ સ્ત્રી, પુત્ર અને ધંધાને સાચવવા તે બધી મજૂરી છે હો. રાગના મોટા મજૂર છે! અને કદાચિત્ શુભભાવમાં આવ્યો અને શુભભાવ કરે તો પણ તે રાગની મજૂરી છે, રાગના મજૂર .
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com