________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ
પ્રશ્ન:- તું કોણ છો ? અને તું કોણ (કેવો ) જાણનાર છો? સમાધાનઃ- હું જ્ઞાયક છું. અને હું મારી પર્યાયને જાણનારો છું. માટે, એ જ્ઞાનની પર્યાય એ મારું કાર્ય છે, કર્મ છે. કર્મ-કાર્ય, અને હું કર્તા છું. ખરેખર તો પર્યાય કર્તા અને પર્યાય જ કર્મ છે. પણ અહીંયાં જ્ઞાયકભાવને કર્તા તરીકે સિદ્ધ કરીને જ્ઞાન પર્યાય તેનું કાર્ય છે એમ સિદ્ધ કરવું છે, બાકી ખરેખર તો તે જ્ઞાનની પર્યાય તેનું કાર્ય છે અને તે વખતનો જે પર્યાય છે તે જ એ પર્યાયનો કર્તા છે. કેમ કે આખું દ્રવ્ય છે એ તો ધ્રુવ છે. માટે તેને કર્તા કહેવો એ તો ઉપચારથી છે. સમજાણું ?
પદ
અહા ! ધ્રુવ છે એ તો પરિણમતો નથી, બદલતો નથી. તો એ જ્ઞાયકને જાણનારી જે બદલનાર પર્યાય પ્રગટ થઈ તે પરને જાણવા કાળે પણ પોતાના જ્ઞાનરૂપે પરિણમી છે. માટે તે પોતે જ કર્તા છે ને પોતે જ પોતાનું કાર્ય છે. પણ રાગ કર્તા છે અને આ જ્ઞાનની પર્યાય તેનું કાર્ય છે એમ છે નહીં અહા! જેના એક પદમાંથી પણ બહાર નીકળવું કઠણ પડે એટલી તો આમાં ગંભીરતા છે!
તો કહે છે કે બાપુ! પ્રભુ! તું મહાપ્રભુ છો. ભાઈ! તું મહાપ્રભુ છો અને એ તારી પર્યાય પણ મહાપ્રભુની છે. જે જણાયો છે તેની એ પર્યાય છે. માટે એ પ્રભુની પર્યાય છે. પણ તે રાગની પર્યાય નથી. અર્થાત્ આ જ્ઞાનમાં જ્યાં જ્યાં સ્વ જણાયો અને જ્યાં તેને જાણ્યો તે વખતે આ ૫૨ને પણ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com