________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪
જ્ઞાયક ભાવ તે “જ્ઞયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો” એટલે કે એમાં તે જાણનારો જણાયો છે પણ જણાય એવી ચીજ જણાતી નથી જે જણાય છે તે ચીજ જણાઈ નથી. પરંતુ તે જાણનારો ત્યાં જણાયો છે. આવી ગૂઢ-અલૌકિક વાતુ છે ભાઈ ! કેમ કે ચૈતન્યસ્વરૂપ જ અલૌકિક છે બાપુ! અને તેની એક સમયની પર્યાયમાં સર્વજ્ઞને સ્થાપીને ગજબ કામ કર્યું છે ને! તેને સંસારથી ઉપાડી લીધો છે. અર્થાત્ જેણે પોતાની પર્યાયમાં અનંતા સિદ્ધોને સ્થાપ્યા છે તેને સંસારથી ઉપાડી લીધો છે. એને જ હો. પણ જે એકલા શ્રોતા તરીકે માત્ર સાંભળવા માટે જ આવ્યા છે તેને નહીં.
અહા ! જેણે અનંતા સિદ્ધોને પોતાની પર્યાયમાં સ્થાપ્યા અને જેને જ્ઞાનનું-જ્ઞાયકનું જ્ઞાન થયું તેનું જ્ઞાન રાગને અને શરીરને પણ જાણે છે. પરંતુ એથી તેને યકૃત-પ્રમેયકૃતઅશુદ્ધતા થઈ નથી. કેમ કે એ તો જ્ઞાયકની પર્યાયને જ જાણે છે. અહા ! એ રાગને જાણવા કાળે રાગ આકારે જે જ્ઞાન થયું છે તે રાગને કારણે (રાગને આકારે) થયું છે એમ નથી. પરંતુ તે કાળે જ્ઞાન પર્યાયનો જ પોતાના જ્ઞાનાકારે થવાનો સ્વભાવ હોવાથી એ રીતે થયું છે. માટે, તે વખતે રાગ જણાયો નથી. પણ જાણનારની પર્યાયને તેણે જાણી છે. સમજાણું કાંઈ ?
તો કહે છે કે “યાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ-પ્રકાશનની અવસ્થામાં પણ પોતે જણાણો છે. જેમ યાકારના જ્ઞાનકાળે પણ જ્ઞાનનો પર્યાય જણાયો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com