Book Title: Gnaayakbhaav
Author(s): Kahanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 64
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૬૧ તેમ જ્ઞાયકનું સમજવું એટલે કે રાગને, પ૨ને જાણવા કાળે પણ જ્ઞાયકની પર્યાય તો જ્ઞાનની જ છે. અને પોતાને પ્રકાશવાના કાળે પણ એ જ્ઞાનની જ પર્યાય છે. પરંતુ પરને જાણવા કાળે તે પર્યાય પરને લઈને થઈ છે એમ નથી. જેમ કે પ્રકાશ (દીવો ) ઘટપટને પ્રકાશે છે તો તે ઘટપટને લઈને દીવો તેને પ્રકાશે છે એમ નથી. પરંતુ દીવાનો પોતાનો ઘટપટને પ્રકાશવાનો પ્રકાશક સ્વભાવ છે માટે પ્રકાશે છે. અને તેથી ઘટપટને પ્રકાશવા કાળે પણ દીવો તો દીવો જ છે. તથા પોતાની જ્યોતિને પ્રકાશવા કાળે પણ દીવો તો દીવો જ છે. ભારે ઝીણું છે બાપુ! અહા! એક કલાકમાં કેટલું આવ્યું! પરંતુ આખો દિ' પાપ આડે અજ્ઞાનીને નવરાશ મળતી નથી, ફુરસદ મળતી નથી. પરંતુ જો શરીરના રક્ષણ માટે કાંઈ કરવું હોય તો, શરીરનું આમ કરું ને તેમ કરું એમ આખો દિ' સલવાય જાય, છતાંય શરીરનું થવાનું હોય તે જ થાય. પણ તેના કર્યાથી કાંઈ થાય નહીં. જ્યારે આ તો પુરુષાર્થથી થાય જ. તો કહે છે કે ઘડો, પટ-વસ્ત્રાદિ, કોયલા કે નાગને પ્રકાશવા કાળે પણ દીવો તો દીવારૂપે રહીને જ પ્રકાશે છે. પણ શું પરૂપે થઈને તે પ્રકાશે છે? કે પ૨ને પ્રકાશે છે! ના. દીવો તો દીવાને પ્રકાશે છે તેમ જ પોતાને પ્રકાશવાના પ્રકાશકાળે પણ પોતે દીવો તો દીવાને પ્રકાશે છે. એમ પોતે ભગવાન આત્મા જાણનારો–જાણે છે તે અવસ્થામાં પણ જ્ઞાયકપણે જ રહ્યો છે. પણ ૫૨૫ણે થયો નથી કે પરને Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115