SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૬૧ તેમ જ્ઞાયકનું સમજવું એટલે કે રાગને, પ૨ને જાણવા કાળે પણ જ્ઞાયકની પર્યાય તો જ્ઞાનની જ છે. અને પોતાને પ્રકાશવાના કાળે પણ એ જ્ઞાનની જ પર્યાય છે. પરંતુ પરને જાણવા કાળે તે પર્યાય પરને લઈને થઈ છે એમ નથી. જેમ કે પ્રકાશ (દીવો ) ઘટપટને પ્રકાશે છે તો તે ઘટપટને લઈને દીવો તેને પ્રકાશે છે એમ નથી. પરંતુ દીવાનો પોતાનો ઘટપટને પ્રકાશવાનો પ્રકાશક સ્વભાવ છે માટે પ્રકાશે છે. અને તેથી ઘટપટને પ્રકાશવા કાળે પણ દીવો તો દીવો જ છે. તથા પોતાની જ્યોતિને પ્રકાશવા કાળે પણ દીવો તો દીવો જ છે. ભારે ઝીણું છે બાપુ! અહા! એક કલાકમાં કેટલું આવ્યું! પરંતુ આખો દિ' પાપ આડે અજ્ઞાનીને નવરાશ મળતી નથી, ફુરસદ મળતી નથી. પરંતુ જો શરીરના રક્ષણ માટે કાંઈ કરવું હોય તો, શરીરનું આમ કરું ને તેમ કરું એમ આખો દિ' સલવાય જાય, છતાંય શરીરનું થવાનું હોય તે જ થાય. પણ તેના કર્યાથી કાંઈ થાય નહીં. જ્યારે આ તો પુરુષાર્થથી થાય જ. તો કહે છે કે ઘડો, પટ-વસ્ત્રાદિ, કોયલા કે નાગને પ્રકાશવા કાળે પણ દીવો તો દીવારૂપે રહીને જ પ્રકાશે છે. પણ શું પરૂપે થઈને તે પ્રકાશે છે? કે પ૨ને પ્રકાશે છે! ના. દીવો તો દીવાને પ્રકાશે છે તેમ જ પોતાને પ્રકાશવાના પ્રકાશકાળે પણ પોતે દીવો તો દીવાને પ્રકાશે છે. એમ પોતે ભગવાન આત્મા જાણનારો–જાણે છે તે અવસ્થામાં પણ જ્ઞાયકપણે જ રહ્યો છે. પણ ૫૨૫ણે થયો નથી કે પરને Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008240
Book TitleGnaayakbhaav
Original Sutra AuthorN/A
AuthorKahanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size521 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy