________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ લઈને તે દશા થઈ નથી. અને પોતાને જાણવા કાળે એ તો પોતે છે-પોતાની પર્યાય છે. આવું બધું યાદ રાખવું?
પ્રભુનો તો આવો મારગ છે બાપુ! અને તે મારગ ત્રણ લોકના નાથ તીર્થકર જિનદેવ સિવાય કયાંય છે નહીં પણ એ વાતુ પ્રભુ! બહુ સૂક્ષ્મ છે, એ કોઈ કરોડ-બે કરોડ-પાંચ કરોડ પૈસા ખર્ચી નાખે કે શરીરની ક્રિયા કરી નાખે-છે, છ મહિનાના ઉપવાસ કરી નાખે, માટે ધર્મ થઈ જાય એમ નથી. અહીં ! શરીરના બળુકા ઉપવાસાદિ કરે છે અને બુદ્ધિના પ્રકાશ કરવાવાળા એકલા પર જાણવાની બુદ્ધિની વાત કેળવે છે પણ અંદર શું ચીજ છે તેને કેળવવા જતા નથી.
અહીં કહે છે કે અન્ય કાંઈ નથી; તેમ જ્ઞાયકનું સમજવું એટલે?
કે જાણનારો ભગવાન આત્મા સ્વને જાણતા, જે પર્યાયમાં અને જાણ્યો તે જ પર્યાયમાં પરને પણ જાણ્યું. તો એ પરને જાણતી જે જાણવાની પર્યાય થઈ છે તે પોતાથી જ થઈ છે. એટલે કે ખરેખર તો તેણે પોતાની પર્યાયને જાણી છે. કારણ કે તે પર્યાયમાં કંઈ શેય આવ્યા નથી. જેમ દીવો ઘટપટને પ્રકાશે છે એટલે કાંઈ દીવાના પ્રકાશમાં ઘટપટ આવી ગયા નથી, દીવાના પ્રકાશમાં તેઓ પેઠા નથી. એમ ભગવાન આત્મા ચૈતન્ય દીવો ચંદ્ર-પ્રભુ છે. આવું જેને રાગથી ભિન્ન થઈને અંતરમાં જ્ઞાન થયું છે અર્થાત્ આત્મા સર્વજ્ઞસ્વભાવી છે એમ જ્યાં ભાન થયું ત્યાં અલ્પજ્ઞ પર્યાયમાં સર્વજ્ઞસ્વભાવનું ભાન થયું. તો એ જે અલ્પજ્ઞ પર્યાય થઈ તે સર્વજ્ઞસ્વભાવની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com