SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૬૩ છે એટલે કે તેને જાણનારી તે પર્યાય જ્ઞાયકની પર્યાય છે અને તે પર્યાય પરને જાણે છે તો પણ તે જ્ઞાયકની પર્યાય છે. પરંતુ તે પરની પર્યાય છે કે પરને લઈને થઈ છે એમ નહીં. અહા ! એકવાર મધ્યસ્થ થઈને સાંભળે તો ખબર પડે. પરંતુ આગ્રહુ રાખીને પડ્યા હોય કે આનાથી આમ થાય ને આનાથી આમ થાય તો ખબર ન પડે. અજ્ઞાની આગ્રહ રાખીને પડ્યો છે કે વ્રત કરવાથી સંવર થાય અને તપસ્યા કરવાથી નિર્જરા થાય. પણ વ્રત કોને કહેવું અને નિશ્ચય વ્રત કોને કહેવું તેની ખબર ન મળે! પ્રશ્ન:- પણ વાત કરીએ તો સંવર થાય ને ઉપવાસ કરીએ તો નિર્જરા થાય ! સમાધાન - અરે ભગવાન! એ વ્રતના વિકલ્પો તો વ્યવહારના છે. માટે એ તો પુણ્યબંધના કારણ છે. અને ઉપવાસાદિના જે વિકલ્પ છે તે પણ, જો રાગ મંદ કર્યો હોય તો, પુણ્ય બંધનું કારણ છે. પરંતુ ત્યાં સંવર નિર્જરા નથી. અને ત્યાં ૩૨૦ ગાથામાં તો એમ કહ્યું છે ને કે ઉદયને જાણવા કાળે પણ જ્ઞાનની પર્યાયને જાણે છે. જોકે ત્યાં ઉદયને જાણે છે એમ કહેવું છે. છતાં પણ એ રાગને જાણે છે એટલે કે એ તો જે જ્ઞાનની પર્યાય થઈ છે તેને તે જાણે છે. તેવી રીતે નિર્જરા કાળે પણ નિર્જરાની પર્યાયને જાણે છે. પણ તે નિર્જરાને કરતો નથી. અહા! નિર્જરાના કાળે જાણે છે. અર્થાત્ નિર્જરાની જે પર્યાય છે તે જ્ઞાનરૂપ થઈ છે. એમ તેને તે જાણે છે. તેમ બંધને જાણે છે. એટલે કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008240
Book TitleGnaayakbhaav
Original Sutra AuthorN/A
AuthorKahanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size521 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy