________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬
જ્ઞાયક ભાવ ચાર-ચાર કલાક સાચો સત્સમાગમ કરવો જોઈએ. પરંતુ સત્સમાગમ કોને કહેવો તેની પણ હજી સમજણ નથી. એ સન્શાસ્ત્રનું ચાર-ચાર કલાક વાંચન હંમેશાં કરવું જોઈએ. જેથી પુણ્ય તો બંધાય. પરંતુ એનાંય ઠેકાણાં ન મળે. અરે ! ધર્મ તો ન મળે પણ પુણ્યનાંય ઠેકાણાં ન મળે. સન્શાસ્ત્ર ને સત્સમાગમ-એ બેનો પરિચય ચોવીસ કલાકમાંથી ચાર કલાક રહે તો પણ ને પુણ્ય બાંધે, પરંતુ ધર્મ તો નહીં. ધરમ તો રાગથી આત્માને પૃથક કરીને સર્વશપણું મારું સ્વરૂપ છે એવી અંતરમાં દષ્ટિ કરીને અનુભવ કરે ત્યારે તેને થાય. એટલે કે સમ્યગ્દર્શન થાય. સમજાણું કાંઈ ?
અહીં કહે છે કે “જેમ દીપક ઘટપટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે' જેમ દીવો છે તે ઘટને, પટને એટલે કે વસ્ત્રને પ્રકાશે છે તે કાળે પણ દીવો તો દીવો જ છે. દીવો જેને પ્રકાશે છે તે રૂપે શું થયો છે? ના. માટે કહે છે કે દીપક ઘટપટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે એટલે કે દીવો ઘટપટાદિને અવસ્થામાં પ્રકાશવા કાળે દીવારૂપે જ છે. પરંતુ તે કાંઈ ઘટપટને પ્રકાશવાને કાળે ઘટપટની અવસ્થાપણે થયો નથી. તેમ જ એ ઘટપટને લઈને તે પ્રકાશે છે એમ પણ નથી પણ દીવાના પ્રકાશને લઈને પ્રકાશે છે.
તો કહે છે કે જેમ દીપક ઘટપટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે અને પોતાને-પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com