________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ
૫૯ તે પોતાની પર્યાયનો જાણનારો છે. માટે, કેવળી લોકાલોકને જાણે છે એમ પણ નથી. પરંતુ કેવળી પોતાની પર્યાયને જાણે છે. તેથી પર્યાય તેમનું કાર્ય છે અને કર્તા તેમનું જ્ઞાનસ્વરૂપ છે. અથવા પર્યાય છે, તે કારણે લોકાલોક છે માટે અહીં જ્ઞાન-કેવળજ્ઞાન-થયું છે એમ નથી. આ પ્રશ્ન તો સંવત ૧૯૮૩ની સાલમાં ઊઠેલો, પ૧ વર્ષ પહેલાં આ પ્રશ્ન ઊઠયો હતો કે આ લોકાલોક છે માટે કેવળજ્ઞાન છે કે કેવળજ્ઞાન પોતાથી છેલોકાલોકને લઈને નહીં? આ એક પ્રશ્ન થયો હતો. ત્યારે દામોદર શેઠે એમ કહ્યું કે લોકાલોક છે તો તેનું અહીં જ્ઞાન થયું છે. જ્યારે વીરજીભાઇએ ના પાડી કે એમ નથી. પછી બંને નીચે આવ્યા અને મને પૂછ્યું. મેં કહ્યું કે બાપુ! એમ નથી. કેવળજ્ઞાન, જ્ઞાનથી-પોતાથી–છે. માટે કેવળજ્ઞાન કાર્યનો કર્તા આત્મા છે; એ આત્માનું કાર્ય કેવળજ્ઞાન છે. પરંતુ લોકાલોક કર્તા છે અને કેવળજ્ઞાન પર્યાય તેનું કાર્ય છે એમ નથી. જોકે એટલા બધા શબ્દ એ વખતે ત્યાં નહોતા. પણ લોકાલોક છે માટે જ્ઞાનની પર્યાય થઈ છે એમ નથી. અરે! એક પણ વાત જો સર્વજ્ઞના ન્યાયથી બરાબર જાણેને તો તેને બધીય વાત યથાર્થ જણાઈ જાય. કેમ કે એક ભાવ જાણે તેને બધાય ભાવ યથાર્થ જણાઈ જાય, પણ જ્યાં એકેય ભાવના ઠેકાણાં ન મળે ત્યાં અરેરે ! જિંદગી પૂરી થવા આવી તો પણ તેમાં જે કરવાનું હતું તે રહી ગયું. અને તેણે એકલા પાપના ધુમાડા કર્યા છે. અરે ! પુણ્યનાં પણ ઠેકાણાં ન મળે. એને માટે તો ભાઈ !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com