________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮
જ્ઞાયક ભાવ સમજાણું? એટલે કે થનારો અને થયું તે બે અનન્ય છે પણ જુદા-જુદા નથી. કર્તા થનારો અને કર્મ-થયું. તો, તે બે અનન્ય છે, તે બે એક જ વસ્તુ છે. અને “અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે “કર્તા” એ કર્તા છે. રાગ સંબંધીનું જે જ્ઞાન થયું છે તે જ્ઞાનની પર્યાયનો કર્તા પોતે છે. અને તેનું કર્મ પણ એનામાં છે અનન્ય છે. માટે, તે જ્ઞાન રાગને જાણે છે એમ નથી. અને રાગને લઈને એ જ્ઞાન થયું છે એમ પણ નથી. હવે આવી વ્યાખ્યા છે ત્યાં સાધારણ બિચારા જીવો કે જે સંપ્રદાયમાં પડ્યા હોય અને આખો દિ' ક્યારેય વખત મળતો ન હોય તે શું કરે? અરેરે! બાવીસ કલાક જિંદગી સ્ત્રી, પુત્ર અને ધંધામાં-પાપમાં જાય છે. તેમાં કદાચ બે ઘડી વખત મળે તો સાંભળવા જાય. પરંતુ સાંભળવા જાય તો કોઈ ઠેકાણા વિનાનું મળે, સત્યથી વિરુદ્ધની વાત મળે !
અહા! કોઈએ એમ જાણ્યું હોય કે આપણે સમયસાર સાંભળ્યું છે માટે કંઈ નવીનતા ન હોય તો એમ નથી પ્રભુ! એ નવી વસ્તુ છે બાપુ! ભગવાન!
અહા ! સરકારના એક સાધારણ કાયદા પણ ગહન હોય છે. તો પછી આ તો સર્વજ્ઞ, ત્રણ લોકના નાથના કાયદા છે. તો, તેના નિયમો કેવા હોય બાપા! અહા ! એક-એક ગાથામાં કેટલી ગંભીરતા છે!
કહે છે કે “પોતે જાણનારો માટે પોતે કર્તા” તે કોનો જાણનારો છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com