________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર
જ્ઞાયક ભાવ કહેતાં તે પરને જાણે છે એવું આવે છે તો, પરને આકારે જે જ્ઞાન થયું છે તે પરને લઈને થયું છે એમ નથી. અહીં ! ધર્મીને પણ હજી રાગ આવે છે અને તે રાગનું જ્ઞાન પણ થાય છે.... બારમી ગાથામાં કહેશે ને કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે... અહા! ભાષા તો ચારેકોર એક-અવિરોધ વાતને જ સિદ્ધ કરે છે. તો કહે છે કે એ જ્ઞાયકપણામાં રાગ-વ્યવહાર આવે છે અને જણાય પણ છે, પરંતુ તે રાગ છે માટે તેને જાણે છે કે રાગ છે માટે રાગનું યાકારે જ્ઞાન અહીંયાં થયું છે એમ નથી. આવો મારગ છે એટલે સાધારણ માણસ બિચારો શું કરે?
અહીં આચાર્ય કહે છે કે ભલે અમે “જ્ઞાયક' એમ કહીએ છીએ. અને અમે જ્ઞાયકને જાણો તેમ જ જાણનારે પણ તેને જાણો. હવે જાણનારો છે તો પરનો પણ જાણનારો છે એમ સાથે આવ્યું, કેમ કે તે સ્વપરપ્રકાશક છે ને! તો તે પરનો જાણનારો છે માટે પર જાણે છે-તેથી એ પર છે તેને લીધે તેને જાણે છે ને! એ પર છે માટે તેને આકારે જ્ઞાન થયું છે ને! અર્થાત્ જેવું પર છે તે સ્વરૂપે જ્ઞાન થયું તો એટલી તો શેયકૃત અશુદ્ધતા જ્ઞાનમાં આવી કે નહીં? એટલી યકૃત-પ્રમેયકૃત-પરાધીનતા આવી કે નહીં ? ના, કેમ કે રાગના જ્ઞાનકાળે કે શરીરના જ્ઞાનકાળે તેને તો જ્ઞાયકપણાની પર્યાયપણે જ જાણ્યો છે. પણ તેને (તે જ્ઞાનને) રાગની પર્યાય તરીકે કે રાગથી જ્ઞાન થયું છે એમ જાણ્યું નથી. બીજે આવી વાતુ છે? (ના) અરે પ્રભુ! તારા દ્રવ્યનું અને તારી પર્યાયનું સામર્થ્ય કેવું છે તેવી ભાઈ ! તને ખબર નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com