________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ
પ૭ જાણવું ત્યાં થાય છે ને? તો કહે છે કે એ પરનું જાણવું થયું તે પરને લઈને જાણવું થયું છે એમ નથી પરંતુ એ જાણવાનો પર્યાય જ પોતે પોતાની સ્વપરપ્રકાશકપણે પરિણમવાની તાકાતથી પરિણમ્યો છે. તેથી તે પર્યાય કર્મ છે અને તે પર્યાય કર્તા છે. અથવા ભલે દ્રવ્યને કર્તા કહેવામાં આવે. ખરેખર પકારકનું પરિણમન પર્યાયમાં છે જ્યારે દ્રવ્યની પકારકની શક્તિ છે. પરંતુ પરિણમન નથી. તેથી, જે જ્ઞાનની પર્યાયે પોતાને જાણ્યો તે જ પર્યાયે રાગ સંબંધીના પોતાના જ્ઞાનની પર્યાયને પણ જાણી છે, માટે, પર્યાય કર્તા છે, ને પર્યાય કર્મ છે. સમજાણું કાંઈ ?
અહા! વ્યવહારનો વિકલ્પ ઊયો છે તેનું અહીયાં જ્ઞાન થાય છે તે જ્ઞાનની પર્યાયને પોતે પોતાથી જાણી છે તેમ જ તે પર્યાય પોતે પોતાથી થઈ છે. પણ વ્યવહારથી થઈ નથી. એટલે કે વ્યવહારને જાણનારી પર્યાય, વ્યવહાર-રાગાદિ આવ્યા છે તેનું જ્ઞાન કરે છે માટે, તેનાથી થઈ છે એમ નથી. કેમ કે તેમાં કયાં જ્ઞાન હતું? રાગાદિમાં જ્ઞાન કયાં હતું કે જેથી તે થાય, જ્ઞાન તો જ્ઞાયક પ્રભુમાં ભરેલું છે તો તેનું જ્યાં અંદરમાં જ્ઞાન થતાં જાગનારો જાગે ત્યાં-જાગનારો પોતે પોતાને જાણે છે. તેથી તે રાગને જાણે છે એમ કહેવું તે પણ વ્યવહારથી કથન છે.
તો કહે છે કે “દીવાની, જેમ, કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી-અનેરાપણું નથી, પણ અનન્યપણું છે અર્થાત્ જે કર્તા છે. તે જ કર્મ છે અને જે કર્મ છે તે જ તેનો કર્તા છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com