________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ
પ૧ જાણે છે એમ ભલે કહીએ. તો પણ ખરેખર તો જે પર છે તેને તે જાણે છે એમ નથી. અર્થાત્ પર છે, રાગાદિ થાય છે તેને જે જાણે છે તે રાગાદિને લઈને જાણે છે એમ નથી. પરંતુ એ જ્ઞાનની પર્યાયનું સ્વપરપ્રકાશક સામર્થ્ય જ એવું છે કે પોતે પોતાને જાણે છે અર્થાત્ જ્ઞાયક (જાણનાર પર્યાય) જ્ઞાયકને (જાણનાર પર્યાયને) જાણે છે. અહીં પર્યાયની વાત છે હો. કેમ કે દ્રવ્યને તો તે જાણે જ છે. અહા ! ગજબ વાત છે.
અહા! વસ્તુ સ્વરૂપ ચિદાનંદ પ્રભુ આત્મા જ્ઞાયકપણે તો જણાયો, લક્ષમાં આવ્યો, દષ્ટિમાં આવ્યો. પરંતુ તેને જાણનારો
પર પ્રકાશક કહીએ છીએ તો “તે પરને જાણનારો છે” એમ પણ તેમાં આવ્યું. એટલે કે સ્વને તો જાણ્યો. પણ હવે પરને જાણવાનું પણ તેમાં આવ્યું. તો કહે છે કે પરને જાણવું એ એમાં નથી આવ્યું. પરંતુ પરસંબંધીનું જ્ઞાન કે જે પોતાને પોતાથી થયું છે તેવા શાયકને જ્ઞાને જાપ્યો છે. માટે, પર્યાયે જ્ઞાનને જાણું છે એ જાણનારની પર્યાયને તેણે જાણી છે. સમજાણું કાંઈ ? બહુ આકરું કામ બાપુ ! કેમ કે વીતરાગ સર્વજ્ઞનો મારગ જ એવો છે:
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી,
આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય જ્હોશે.'
(શ્રીમદ્ રાજચંદ્ર ) અહા ! કહે છે કે તેનો આત્મા જ્ઞાયકપણે તો તેને જણાણો. પરંતુ તે “જ્ઞાયક છે એટલે કે જાણનારો છે' એમ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com