Book Title: Gnaayakbhaav
Author(s): Kahanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 52
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૯ જ્ઞાયક ભાવ લક્ષે તેને સમ્યગ્દર્શન થયા વિના રહે જ નહીં. અને તે શ્રુતકેવળી થશે જ. શ્રુતકેવળી એટલે અહીંયાં સમકિતી પણ શ્રુતકેવળી એટલે બાર અંગ ને ચૌદ પૂર્વના વિશેષ જ્ઞાનવાળા નહીં. તો એ શ્રુતકેવળી થાય અને પછી કેવળી થશે જ. ગજબ વાત છે ને ! લ્યો, આ સિદ્ધાંત કહેવાય, અહા ! એક એક શ્લોકનો પાર આવે નહીં. શું સંતોની દિગંબર મુનિઓની અને તેમની વાણીની ગંભીરતા! એ વાણીમાં ગંભીરતા અને ઊંડપનો પાર ન મળે. અહા! પહેલી ગાથામાં કહે છે કે “મારા અને પરના મોહના-” મારા અને તારા મોહના “નાશ માટે..” પણ પ્રભુ! એટલો બધો કોલકરાર! ભલે તમે પોતાના (તમારા) મોહના નાશ માટે તો કહી શકો. કેમ કે એટલી (થોડી જ) અસ્થિરતા છે. પરંતુ શ્રોતાના (મોના નાશ માટે પણ કોલકરાર?) ભાઈ ! શ્રોતાને મેં સિદ્ધ કહ્યાને? ( શ્રોતાની પર્યાયમાં મેં પોતે અનંતા સિદ્ધોને સ્થાપ્યા છે ને !) જો કે મેં શ્રોતાની પર્યાયમાં સિદ્ધને સ્થાપ્યા છે એ તો વ્યવહારથી વાત કરી છે. પરંતુ તેણે પોતે પણ અનંતા સિદ્ધોને પર્યાયમાં સ્થાપ્યા છે ને! માટે તેનો મોહ પણ નાશ પામશે જ. અહા ! જે એક સમયની અલ્પજ્ઞ પર્યાયમાં અનંતા સિદ્ધોને સ્થાપ્યા તે પર્યાય અંદર ઝૂકીને દ્રવ્ય તરફ જ જાય. એટલી એ પર્યાયમાં (તાકાત) છે કે તેણે અનંત સર્વજ્ઞને રાખ્યા. તો, તે પર્યાયનું લક્ષ સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ આત્મા ઉપર જ જાય. અહા! જેણે એક સમયની પર્યાયમાં અનંતા સર્વજ્ઞોને સ્થાપ્યા, રાખ્યા, આદર્યા, સત્કાર કર્યો, સ્વીકાર કર્યો અને તે એક સમયની પર્યાયમાં જેણે અનંતા સર્વજ્ઞને જાણ્યા તેને તેનો આત્મા તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115