Book Title: Gnaayakbhaav
Author(s): Kahanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 53
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫) જ્ઞાયક ભાવ જ્ઞાયકપણે જણાય છે. અહા ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથનું અનંત તીર્થકરોનું આ બધું કથન છે. અનંતા તીર્થકરનું કથન કહો કે અનંતા સંતોનું કથન કહો કે એક મુનિનું કથન કહો એક જ છે. અને મુનિ તો જિન છે. પર્યાયમાં ત્રણ કષાયનો અભાવ થઈને જિનદશા જેને પ્રગટી છે તેને મુનિ કહીએ. તો તે મુનિ (આચાર્ય) કહે છે કે હું આ સમયસારને કહીશ. પણ “કહીશ” એમાં તો વિકલ્પ છે ને? એ વિકલ્પ છે ખરો. પણ મારું જોર ત્યાં નથી. પરંતુ હું તો સ્વભાવ તરફના જોરના લક્ષે ત્યાં (સમયસારમાં) વાત કરીશ. અને તેથી મારું જોર તો સ્વભાવ તરફ વધશે અને અશુદ્ધતા ટળી જશે. એમ સાંભળનાર પણ જેણે અનંતા સિદ્ધોને સ્થાપ્યા છે તે પણ સ્વ લક્ષે સાંભળે છે તેમ જ વાણીમાં પૂર્ણ વાત આવશે તેથી, આ વાત સાંભળતા તેનું પણ સ્વ લક્ષ થઈને મોહ ટળશે. અને પછી તેની અસ્થિરતા પણ ટળી જશે. અર્થાત્ પહેલાં તે શ્રુતકેવળી થશે. એટલે કે તેને સમકિત થશે. પછી તે કેવળી થશે. લ્યો, આ પહેલી ગાથાનો આવો અર્થ છે. એ તો પાર પડે નહીં તેવું છે. અહા! દિગંબર સંતો એટલે કેવળીના કડાયતો, બાકી સહુએ બધી કલ્પનાએ વાતો કરી છે. જ્યારે દિગંબર સંતોના એક-એક શબ્દની પાછળ તો કેટલી ભાવની ગંભીરતા છે! એ અહીંયાં કહે છે કે જ્યારે આત્માને અમે જ્ઞાયક કહ્યો અને તે જ્ઞાયક જ્ઞાયકપણે જણાયો ત્યારે જાણનારને તો જાણ્યો પણ હવે તે “જાણનાર છે” એમ કહેવાય છે તો તે પરને પણ જાણે છે એવું એમાં આવ્યું ને? ભાઈ ! તે પરને Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115