________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४८
જ્ઞાયક ભાવ આચાર્ય સંત છે તો પણ કહે છે કે અનાદિનાં કલુષિત પરિણામ મારામાં છે.
એક બાજુ એમ કહેવું કે સમ્યગ્દષ્ટિને રાગ છે જ નહિ, દુઃખ છે જ નહિ.
પણ એ તો કઈ અપેક્ષાએ છે? કે અનંતાનુબંધી અને મિથ્યાત્વની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને રાગ અને દુ:ખ નથી. પણ અહીંયાં તો શ્રી કુંદકુંદાચાર્યની ગાથાના અર્થ ટીકા કરતાં આચાર્ય પોતે કહે છે કે મારામાં મોહ છે.
તે મોહ કયારનો છે?
અનાદિનો છે. પહેલી ગાથામાં કહ્યું છે કે મારો મોહ અનાદિનો છે. અને તે જ વાત ત્રીજા કલશમાં શ્રી અમૃતચંદ્રાચાર્ય લીધી છે કે મારામાં મોહ-અસ્થિરતાનો છે. પોતે મુનિ આચાર્ય છે ને! એટલે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર તો છે, આનંદનો અનુભવ તો છે. પરંતુ તેની સાથે થોડો રાગ પણ અનાદિનો છે. અહા! તે રાગ અનાદિનો છે એટલે કે રાગ ચાલ્યો હતો અને હવે નવો થયો છે એમ નથી. આવી રીતે શ્રી કુંદકુંદાચાર્યની ગાથાની ટીકા કરનાર શ્રી અમૃતચંદ્રાચાર્ય કહે છે કે શ્રી કુંદકુંદાચાર્ય આમ કહેવા માગે છે. પણ પ્રભુ! તમે કયાં એમના જ્ઞાનમાં હૃદયમાં વહ્યા ગયા છો ? ભાઈ ! જેમ વસ્તુની સ્થિતિ છે તેમ અમે કહીએ છીએ.
તો કહે છે કે એક અરહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જો જાણે તો તે જાણનારો પોતાના ભગવાન આત્માને જાણે-એમ (પ્રવચનસાર ગા. ૮૦માં) કહ્યું છે. તો આ તો અનંતા સિદ્ધોને જે પર્યાયમાં જાણે એટલે કે સ્થાપે એને તો સ્વના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com