________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩
જ્ઞાયક ભાવ ગણધરો સાંભળે એ વાત બાપુ! કાંઈ સાધારણ વાત હશે?
દાહ્યના (બળવાયોગ્ય પદાર્થના) આકારે થવાથી અગ્નિને દહન નામ બાળનાર કહેવાય છે, અગ્નિ બળવાલાયક પદાર્થને આકારે થવાથી તે અગ્નિને બાળનાર એમ કહેવામાં આવે છે અર્થાત તે જાણે કે પરને બાળતો હોય એમ કવ્વામાં આવે છે તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી. એ અગ્નિ બળવાલાયકરૂપે થઈ છે પણ તેથી એ અગ્નિ કંઈ બળવાલાયક પદાર્થને કારણે એ આકારે થયો છે એમ નથી. પરંતુ એ અગ્નિ પોતે જ પોતાના સ્વભાવથી પોતાને પ્રકાશની અને પરને પ્રકાશતારૂપે પોતે જ પરિણમે છે. અર્થાત જેને બાળે છે તેને આકારે અગ્નિ થયો છે માટે એટલી પરાધીનતા તેને થઈ છે એમ નથી. પરંતુ અગ્નિ પોતે જ પોતાના આકારે પરિણમેલ છે. જ્ઞયાકાર થયો તે જ્ઞાનાકાર પોતાનો છે. યાકાર થવાથી જ્ઞાયક જાણનાર સ્વભાવ
યાકાર પોતાને જાણ્યો અને બીજી ચીજના આકારે પણ જ્ઞાન પરિણમ્યું તો શેયાકાર થવાથી તે ભાવને તે જાણકભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે–તે જાણનાર છે એવું પ્રસિદ્ધ છે. તોપણ શેયકૃત અશુદ્ધતા તેને નથી. જાણનાર જણાવા યોગ્યને આકારે થયું છે. જ્ઞાન છતાં જાણનારને જણાવા યોગ્યને કારણે એ જ્ઞાનની પર્યાય થઈ છે એમ નથી. કેમ કે એ તો જ્ઞાનાકારરૂપે જ પરિણમન છે, જ્ઞયાકાર થયો છે તે પોતાનો જ જ્ઞાનાકાર છે. એટલે કે પોતાનું પરિણમન જ એ જાતનું છે. અહા ! સ્વને જાણવાનો અને પરને જાણવાનો જે પર્યાય થયો છે તે પોતાથી થયો છે. પરંતુ રાગાદિ પર વસ્તુ છે તેથી અહીં તેના જેવું ( રાગનું) જ્ઞાન થયું છે એમ નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com