________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४
જ્ઞાયક ભાવ કારણ કે શેયાકાર અવસ્થામાં એટલે કે જે જ્ઞાન છે તે શયને જાણવાલાયક પદાર્થને આકારે અવસ્થા થાય છે તો એ યાકાર અવસ્થામાં જે જ્ઞાયકપણે જણાયો એ તો જ્ઞાયકપણે જ જણાયો છે પરપણે જણાયો છે એમ છે નહીં. જાણવાના પ્રકાશકાળે શયનેરાગને-જાણતાં છતાં તે રાગને આકારે જ્ઞાન થયું છે એમ નથી. એટલે કે રાગને કારણે જ્ઞાન થયું છે એમ નથી. પણ એ તો પોતાનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે તેને કારણે જ્ઞાન થયું છે, પોતે અને તો પ્રકાશ્યો. પણ હવે જે રાગને પ્રકાશે છે તે સ્વની પ્રકાશશક્તિને કારણે છે. પરંતુ એ રાગને કારણે રાગને પ્રકાશે એવું જ્ઞયાકાર જ્ઞાન થયું છે એટલે કે જ્ઞયને કારણે અશુદ્ધતા પરાધીનતા થઈ છે એમ નથી. આવું! ન્યાયનું તત્ત્વ બહુ ઝીણું છે.
જ્ઞયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો...” જોયું? એ રાગનું જ્ઞાન થયું એમ કહેવું તે વ્યવહાર છે. કેમ કે તે રાગ સંબંધીનું જ્ઞાન એ જ્ઞાનનું જ્ઞાન છે. અને માટે એ પોતાનું જ્ઞાન થયું છે.
પ્રશ્ન:- પોતાનું જ્ઞાન કહેવું એ પણ ભેદ થયો?
સમાધાનઃ- હા, ભેદ છે. પણ એટલું કર્તાકર્મપણું સિદ્ધ કરવું છે ને! અહીં તો કર્તાપર્યાયને સિદ્ધ કરવી છે. અહા! અને જાણનારું અને પર-રાગને જાણનારું એવું જે અપર પ્રકાશ જ્ઞાન છે તે આ શાયકનું કાર્ય છે, કર્મ છે. અને આત્મા તેનો કર્તા છે. પરંતુ જે રાગ છે તેનું અહીં જ્ઞાન થયું માટે રાગ કર્તા છે અને રાગને આકારે જે જ્ઞાન થયું છે તે રાગનું કાર્ય છે એમ નથી. બહુ ઝીણી વાત છે બાપુ! અહીં ! આ પ્રથમ શુકનની વાતો ચાલે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com