________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨
જ્ઞાયક ભાવ પરને જાણવાનો જે ભાવ થયો છે તે સાક્ષાત્ જ્ઞાનનું કાર્ય છે, જ્ઞાતાનું કાર્ય છે.
અહા! ફરીને અહીં તો જેને આત્મા જણાણો છે તેને હવે પર જણાય છે તે શું છે એ વાત ચાલે છે. પરંતુ જેને આત્માનું જ્ઞાન નથી તેની વાત છે જ નહીં. કેમ કે એ તો મિથ્યાત્વમાં પડ્યા છે તેથી પરાધીન થઈને રખડી મરવાના છે. તો, જેને એ જ્ઞાનસ્વરૂપી પ્રભુ-એ જિનરૂપી વસ્તુ-આત્મા જણાયો છે અર્થાત્ જેને પરિણામમાં એ જિનસ્વરૂપી આત્મા જણાયો છે, શુદ્ધ પરિણામમાં એ શુદ્ધ વસ્તુ આત્મા જણાયો છે તેને માટે (આત્માને) શુદ્ધ કહ્યો છે. હવે આ બાજુમાં (પર્યાયમાં) શું છે? કે આ બાજુમાં જ્ઞાનની પર્યાય હજુ જેવો રાગ થાય છે, દ્વેષ થાય છે તે જ પ્રકારે તે જ્ઞાન તેવું જાણે છે. તેથી તે જ્ઞાન એ યકૃતને કારણે અશુદ્ધ છે ને? એટલે કે પરાધીન છે ને? ના. કેમ કે અને પ્રકાશવાના કાળમાં પરને પ્રકાશવાનો તે જ્ઞાનનો સ્વભાવ સ્વત: છે. માટે તે જ્ઞાન સ્વતઃ પણ રાગને જાણતું પરિણમે છે, તેથી તે જ્ઞાયકનું જ્ઞાન છે. પણ “એ રાગનું જ્ઞાન નથી” એમ કહે છે. અરેરે! જ્યાં હજી આવી ચીજ મળે નહીં ત્યાં તે શું કરે? અરે ! અનંતભવ થયા તેમાં જૈન સાધુ પણ થયો, દિગંબર સાધુ પણ અનંતવાર થયો-તો પણ આ રાગની એકતા તોડીને સ્વભાવનું જ્ઞાન કર્યું નહીં. અને તે સ્વભાવનું જ્ઞાન થવામાં પરની કોઈ અપેક્ષા છે નહીં. હવે અહીં તો પરનું જ્ઞાન કરવામાં પણ પરની અપેક્ષા નથી એમ કહે છે. સમજાણું કાંઈ ? સમજાય એટલું સમજવું પ્રભુ! કેમ કે આ તો ત્રણ લોકના નાથની વાતુ છે બાપુ! જેને ઇન્દ્રો અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com