________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬
જ્ઞાયક ભાવ
છે. સમજાણું કાંઈ? અહા ! છઠ્ઠી અને ૧૧મી ગાથા તો અલૌકિક છે. અને આ તો એક પદની જ વ્યાખ્યા ચાલે છે. એનો તો પાર નથી. અહા ! સમ્યગ્દષ્ટિ-જ્ઞાની-સંતોની આત્માના આનંદના અનુભવી એવા સંતોની વાણીનું શું કહેવું?
હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને... કાયરનાં ત્યાં કામ નથી. પુણ્યમાં ધર્મ છે અને પાપમાં અધર્મ છે એમ માનનાર પામર એવા મિથ્યાષ્ટિ જીવોનું અહીં કામ નથી. અહીં તો અંતરના પુરુષાર્થીનું કામ છે. અંતર સ્વરૂપનો સ્વીકાર કરનાર પુરુષાર્થ છે. અને એવા પુરુષાર્થવાળાની આ તો વાત છે એમ કહે છે.
હવે છેલ્લા-ચોથા પદની વ્યાખ્યા: “દાહ્યના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. શું કહે છે? કે અગ્નિને બાળનાર કહેવાય છે. કેમ કે તે બળવાયોગ્ય પદાર્થના આકારે થવાથી”...... અગ્નિ લાકડાને કે છાણાને બાળે છે ત્યારે આકાર તો તેના જેવો થાય છે ને! જેવું છાણું અને લાકડું છે તેવો અગ્નિનો આકાર થાય છે ને! છતાં પણ એ આકાર કાંઈ લાકડા કે છાણાને લઈને થયો નથી. પણ એ તો અગ્નિનો આકાર છે. છાણાને અગ્નિ બાળે તો જેવું છાણું હોય તેવો અગ્નિનો આકાર તો થાય છે. છતાં એ આકાર અગ્નિનો છે, પણ છાણાનો નથી. બળવા યોગ્ય વસ્તુને આકારે થયો માટે અગ્નિ દાહ્યના આકારે પરાધીનપણે થયો છે એમ નથી. આ હજી તો દષ્ટાંત છે હો. આત્મામાં તો પછી ઊતરશે.
અહા ! દાહ્યના (બળવાયોગ્ય પદાર્થના) આકારે થવાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com