Book Title: Gnaayakbhaav
Author(s): Kahanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 35
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨ જ્ઞાયક ભાવ તેની તને કયારે ખબર પડે? જે શુદ્ધ છે તે તો છે જ પણ તેની ખબર કયારે પડે? કે તું જ્યારે પરના લક્ષને છોડી દઈને દ્રવ્યને ધ્યેય બનાવ ત્યારે કેમ કે તેને ધ્યેય બનાવતા જે પર્યાયમાં તેનો સત્કાર થયો, ઉપાસના થઈ, શુદ્ધતા પ્રગટી તે સમ્યગ્દર્શન જ્ઞાનની પર્યાયમાં શુદ્ધ છે એમ જણાય છે. સમજાણું કાંઈ? આવી વાત છે કઠણ વાત છે. બાપુ ! અહા ! વીતરાગ માર્ગ લોકોને મળ્યો જ નથી. તેથી બહારની પ્રવૃત્તિમાં કે જે રાગમાર્ગ-સંસારમાર્ગ છે. તેમાં તેઓ પડ્યા છે, રચ્યા-પચ્યા છે. થઈ રહ્યું ! અહા ! આ પૂજા, ભક્તિ, વ્રત, તપ અને ઉપવાસ એ બધો રાગમાર્ગ છે, અન્યમાર્ગ છે. પણ જૈનમાર્ગ નથી. અહીં પ્રભુ એમ કહે છે કે એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એમ પૂછયું હતું તો તેનો ઉત્તર આ છે કે પરદ્રવ્ય અને તેના ભાવનું લક્ષ-સંપૂર્ણપણે છોડી દઈને પૂર્ણ શુદ્ધજ્ઞાયક ભાવ ઉપર લક્ષ કરતાં જેને પર્યાયમાં શુદ્ધતા થાય, સમ્યગ્દર્શન થાય તે જીવને શુદ્ધ કહેવામાં આવે છે. અંતર સ્વભાવના આશ્રયને લઈ તેનો સત્કાર અને તેના સન્માનને લઈને જ્યારે પર્યાયમાં શુદ્ધતાનું ભાન થયું, સમ્યગ્દર્શન થયું ત્યારે તે જીવને “આ શુદ્ધ છે' એમ કહેવામાં આવે છે. આકરી વાત છે બાપા! પણ શું થાય? અરે! આ અનંતકાળ એમ ને એમ ચાલ્યો ગયો! જૈન કુળમાં અનંતવાર જન્મ્યો છે. અરે! ભગવાનના સમવસરણમાં પણ તે અનંતવાર ગયો છે. પણ અહીં (આત્મામાં) જે જાવું જોઈએ-જવાનું છે ત્યાં તે ન ગયો. અને તેની રીત શું તેની પણ તેને ખબર ન પડી. લ્યો, આ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115