________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ
૨૭
સર્વજ્ઞ પરમેશ્વરે કહેલી ચીજ જ આ પ્રભુ-સંત (શ્રી કુંદકુંદાચાર્ય ) કહે છે. તે પણ ન્યાયથી તેના ખ્યાલમાં આવી શકે છે. જો ન્યાયથી તેના ખ્યાલમાં આવે અને પછી અંદરમાં જાય તો અનુભવ થાય. ગઈકાલે એક પદનો અર્થ કરવાનું બાકી રાખ્યું હતું ને! કારણ કે તે કંઈ ઝટ ઉકલે એવું નહોતું.
તો કહે છે કે જે જ્ઞાયક છે તે જ એટલે જે ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપ છે, જેમાં કોઈ પર્યાય નથી. જેમાં શુભાશુભભાવ નથી તેમજ જેમાં પ્રમત્ત અપ્રમત્તના ભેદ નથી એવી ચીજ છે તે છે. જ્યારે અન્ય દ્રવ્યનો ભાવ તો અંદર જે કર્મનો ઉદયભાવ છે તે છે પછી ભલેને તીર્થંકર નામ કર્મનો ઉદય હોય. પણ તે બધા ભાવો અનેરા છે. પોતે તો જ્ઞાયક આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ છે. ચૈતન્ય ચંદ્ર છે. અર્થાત વસ્તુ જિનસ્વરૂપી જ છે.
‘ઘટ ઘટ અંતર જિન બસે, ઘટ ઘટ અંતર જૈન; મતિ-મદિરા કે પાનસોં, મતવાલા સમુઝૈ ન’ (સ. સાર નાટક અંતિમ પ્રશસ્તિ-૩૧ શ્લોક)
પણ જેનો અભિપ્રાય રાગનો અને પરનો છે અર્થાત્ જેને રાગ અને પરની રુચિ છે એવા રુચિવાળાને આ વસ્તુ જિનસ્વરૂપી છે તો પણ, તેની ખબર નથી. અહા! આ વસ્તુ છે તો જિનસ્વરૂપ એટલે કે તે છે તો શુદ્ધ. અરે તેને શુદ્ધ કો જિનસ્વરૂપ હો, જ્ઞાયક કહો, ધ્રુવ કો, અભેદ કહો કે સામાન્ય કહો એક જ છે. તો આવી ચીજ હોવા છતાં તેની સમીપમાં એ દ્રવ્ય પડયું હોવા છતાંઅજ્ઞાનીનું ૫૨ ઉપર લક્ષ છે તેથી, તેની તેને ખબર નથી. અહા ! એક સમયની પર્યાયની સમીપમાં પ્રભુ પડયો જ છે. જ્ઞાનની,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com