________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ
૨૯
તો કહે છે કે પ્રભુ! એકવાર સાંભળ કે તારી વર્તમાન જે જ્ઞાનની એક સમયની દશા છે તેનો સ્વપરપ્રકાશક સ્વભાવ હોવાથી, ભલે તારી નજર ત્યાં ન હોય તો પણ, તે પર્યાયમાં દ્રવ્ય જ જણાય છે, અરેરે! આ વાત કયાં છે? અરે! કયાં જાવું છે ને પોતે કોણ છે તેની ખબર જ નથી. અહા! ત્રિલોકનાથ એમ કહે છે કે ભગવાન આત્મા ! પ્રભુ! તું જેવડો મોટો પ્રભુ છો એવડો તારી એક સમયની પર્યાયમાં-અજ્ઞાન હોય તોપણ પર્યાયમાં-જણાય જ છે. કેમકે જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. માટે તે પર્યાયમાં સ્વ- (આત્મા) પ્રકાશે તો છે જ, પણ તારી નજર ત્યાં નથી. તારી નજર દયા કરી, વ્રત પાળ્યાં, ભક્તિ કરી, અને પૂજાઓ કરી-એવો જે રાગ છે તેના ઉપર છે અને તે નજ૨ને લઈને તને રાગ જ જણાય છે જે મિથ્યાબુદ્ધિ છે. અર્થાત રાગને જાણનારી જે જ્ઞાન પર્યાય છે. તે જ પર્યાય સ્વને જાણનારી છે. પરંતુ તેમાં (સ્વમાં) તારી નજર નહીં હોવાથી તને રાગ અને પર્યાય જ જણાય છે. જે મિથ્યાબુદ્ધિ, મિથ્યાદષ્ટિ છે.
પણ એની દૃષ્ટિ પરદ્રવ્ય અને તેના ભાવ ઉપરથી છુટી ગઈ છે તેમ પર્યાયના ભેદ ઉપરથી પણ જેનું લક્ષ છૂટી ગયું છે અને અન્ય દ્રવ્યના ભાવથી પણ લક્ષ છૂટયું એટલે કે રાગથી લક્ષ છૂટયું તો પર્યાયથી પણ લક્ષ છૂટી ગયું. આવી વાત છે બાપુ! સમ્યગ્દર્શનની ધર્મની પહેલી જ ચીજ આવી છે. બહુ આકરી ચીજ છે. તત્ત્વની દૃષ્ટિ કર્યા વિના લોકો એમ ને એમ જિંદગી ગાળીને ચાલ્યા જશે. પરંતુ એથી તો ચોર્યાસીના જ અવતાર કરવા પડશે, જ્યાં કોઈ તેનું નથી
Please inform us of any errors on rajesh@Atma Dharma.com