________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬
જ્ઞાયક ભાવ અહા! જે સ્વયં જ્યોતિ સુખધામ છે, ચૈતન્યધામ છે એવા પ્રભુ આત્માનું સેવન કરતા એટલે કે પરનો આશ્રય તેમજ લક્ષ છોડી દઈને સ્વચૈતન્ય જ્ઞાયકભાવનું લક્ષ કરતાં એટલે કે તેની પર્યાયમાં તેના તરફનું વલણ થાય ત્યારે. અને તો જ એ પર્યાયમાં દ્રવ્યનું સેવન થયું કહેવાય. વસ્તુ તો શુદ્ધ છે જ. પણ તેને ભિન્નપણે ઉપાસવામાં આવતાં શુદ્ધ કહેવાય છે. જેને પર્યાયમાં શુદ્ધપણું જણાયું છે. શુદ્ધ દશામાં આ શુદ્ધ છે એમ જેને જણાવ્યું છે તેને શુદ્ધ કહેવાય છે.
અહા ! એક કોર ભગવાન જ્ઞાયક ભાવ ને બીજી કોર બીજાં બધાં અનંત દ્રવ્યો જો કે કર્મનું અહીં મુખ્યપણું છે અહીં મુખ્ય કર્મ છે. તો તેના તરફનું જે લક્ષ છે અને જ્ઞાયક ભાવથી તો અનાદિથી લક્ષ છૂટી ગયેલું છે. તેથી તેની પર્યાયમાં આ જ્ઞાયક ભાવ શુદ્ધ છે એવી દષ્ટિ તો થઈ નથી. અને તે કારણે અન્ય દ્રવ્ય તરફનું લક્ષ છે. તો હવે તેનાથી ભિન્નપણે સેવતા અર્થાત્ અન્યદ્રવ્યના ભાવ અને અન્યદ્રવ્યથી જ્ઞાયક ભાવને જુદો પાડતા એટલે કે સ્વદ્રવ્ય ઉપર લક્ષ જતાં-વર્તમાન પર્યાયમાં શુદ્ધતા થાય છે. એટલે સ્વદ્રવ્ય ઉપર લક્ષ ગયું એ શુદ્ધતા છે. અને તે શુદ્ધતા દ્વારા “આ જ્ઞાયક ભાવ શુદ્ધ છે” એમ જણાય છે. તથા ત્યારે તેને માટે તે શુદ્ધ છે. પરંતુ જેને “એ શુદ્ધ છે” એમ જણાયું નથી અને પર્યાયમાં જેને અશુદ્ધતા જ જણાય છે તથા અશુદ્ધતા ઉપર જ જેનો અનુભવ છે એટલે કે પર્યાય ઉપર જ જેની રુચિ અને દૃષ્ટિ છે તેને તો તે શુદ્ધ છે નહીં. વસ્તુ ભલે શુદ્ધ છે તો પણ તેને માટે તે શુદ્ધ છે નહીં. સમયસાર, તેની એક-એક ગાથા ને તેના એકએક પદ સર્વજ્ઞ અનુસારિણી ભાષા છે. ત્રિલોકનાથ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com