________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
જ્ઞાયક ભાવ અહા ! જ્ઞાયક ભાવ કે જે એકરૂપ વસ્તુ છે તે શુભાશુભભાવરૂપે થઈ નથી તેથી અપ્રમત્ત, પ્રમત્ત એવા તે ગુણસ્થાનના ભેદો જ્ઞાયક ભાવમાં નથી. એટલે કે ચૈતન્યની એકરૂપરસ-જાણક સ્વભાવની એકરૂપરસ-બીજારૂપે, એ શુભાશુભ ભાવ પણ થયો નથી. પરંતુ એ જ્ઞાયકરૂપે, એકરૂપ રસ રહ્યો નથી.
શ્રોતા:- આમાં કાંઈ સમજાતું નથી.
પૂ. ગુરુદેવશ્રી:- કાંઈ સમજાતું નથી? અહીં કહે છે કે જ્ઞાયક ભાવ તો ચૈતન્ય સ્વભાવના રસરૂપે જ રહ્યો છે. તેને અચેતનનો અંશ અડ્યો નથી. માટે ચૈતન્યરસ જ્ઞાયકરસઅચેતનના શુભાશુભભાવપણે થયો નથી. અહા ! જ્ઞાયક અસ્તિત્વરસ કે જેની હયાતી શાયકસ્વભાવરૂપ છે તે શુભાશુભભાવપણે થયો નથી. અર્થાત્ શુભાશુભભાવથી તે પૃથક છે. કેમ કે તે જ્ઞાયક ભાવે જ રહ્યો છે. માટે તેને પ્રમત્ત-અપ્રમત્ત એવા ભેદ લાગુ પડતા નથી. અહા ! સમજાણું કાંઈ ?
શ્રોતા - અપ્રમત્ત એ અશુદ્ધ પરિણામ?
પૂ. ગુરુદેવશ્રી:- હા, કેમ કે તે ભેદ છે ને! કેવળજ્ઞાનનું તેરમું ગુણસ્થાન પણ આત્મામાં નથી. અરે! ચૌદમું ગુણસ્થાન પણ આત્મામાં નથી. કેમ કે તે ભેદ છે ને! તેમ જ તે દરેકમાં ઉદયભાવ પણ છે ને! અહીં કહે છે કે એ જ્ઞાયક ભાવ શુભાશુભભાવપણે થયેલ નથી. તેથી તે અપ્રમત્ત-પ્રમત્ત નથી. અને તેથી તે ગુણસ્થાનના ભેદરૂપ થયેલ નથી. અને છેલ્લે ગાથા ૬૮માં ગુણસ્થાનને તો અચેતન પર્યાય કીધો છે ને? આ તો ભાઈ ! અલૌકિક વાત છે. એણે અનંતકાળમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com