________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩
જ્ઞાયક ભાવ સ્વરૂપ છે અને તે શુભાશુભ ભાવપણે થયેલ જ નથી કેમ કે શુભાશુભ ભાવ તો જડ છે, તેમાં ચૈતન્યનો અભાવ છે, માટે એ જ્ઞાયકસ્વરૂપ જો શુભાશુભભાવપણે થાય તો જડ થઈ જાય, જુઓ, આ એકત્વ વિભક્ત સિદ્ધ કરે છે.
અહા! એ જ્ઞાયક ભાવ શુભાશુભથી ભિન્ન છે એટલે કે જ્ઞાયક ભાવ શુભાશુભભાવપણે થયો જ નથી કેમ કે જો તે શુભાશુભ પણ થાય તો અપ્રમત્ત પ્રમત્તરૂપે પણ થઈ જાય. પણ એમ તો બનતું નથી. સમજાણું કાંઈ? બહું ઝીણું છે બાપુ! અહા! એક શાયક ભાવ છે. બેનની ભાષામાં આવ્યું છે ને કે જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય? બેનના વચનામૃતમાં પહેલો બોલ એ છે કે તને ક્યાંય ન ગમે તો આત્મામાં ગમાડ,
ત્યાં ગમે તેવું છે, “જાગતો જીવ ઊભો છે તે કયાં જાય' એ ૩૦૬ નંબરનો બોલ છે. “જાગતો” એટલે જ્ઞાયક-જ્ઞાયક એટલે ધ્રુવ. જે શુભાશુભ ભાવપણે થયો નથી. કેમ કે એ તો જ્ઞાનસ્વરૂપી પ્રભુ છે; જ્યારે આ શુભાશુભ તો અચેતન છે. તેમાં જ્ઞાનનો અંશ નથી. માટે તે રૂપે જ્ઞાયક કેમ થાય? આમ શુભાશુભ ભાવરૂપે પોતે જ્ઞાયક ભાવ થયો નથી, એટલે કે તેનાથી પૃથક જ રહ્યો છે, અને એ રીતે એને શુદ્ધ કહે છે.
અહા ! શુભાશુભ ભાવરૂપે જ્ઞાયક ભાવ થયો નથી તેથી અપ્રમત્ત પ્રમત્ત નથી. જુઓ પહેલાં અપ્રમત્ત લીધું છે ને ? ચૌદ ગુણ સ્થાનમાં સાતમા ગુણ સ્થાનથી ચૌદમાં ગુણ સ્થાન સુધીને અપ્રમત્ત કહે છે. જ્યારે પહેલા ગુણ સ્થાનથી છઠ્ઠી ગુણ સ્થાન સુધીને પ્રમત્ત કહે છે. તો અહીંયાં પહેલાં અપ્રમત્તથી ઉપાડ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com