Book Title: Gnaayakbhaav
Author(s): Kahanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ
૨૩ લાવવો મુશ્કેલ છે. છતાં, તેના વશે પ્રવર્તતા પુણ્ય-પાપને ઉત્પન્ન કરનારા તે શુભ ને અશુભભાવરૂપે દ્રવ્યસ્વભાવ કદી થયો નથી. જોયું? “જ્ઞાયક ભાવથી જડ ભાવરૂપ થતો નથી' એમ કહ્યું છે. એટલે કે એ શુભાશુભને જડ કીધા છે. અહા ! ચૈતન્યસ્વરૂપ જે જ્ઞાયક છે તે તો ચૈતન્યના પ્રકાશનો પૂંજ છે. જ્યારે શુભાશુભ ભાવ તો અંધારાં છે. અર્થાત્ ચૈતન્ય પ્રકાશનો શુભા-શુભભાવમાં અભાવ છે. માટે તે પ્રકાશ, અંધારારૂપ કેમ થાય? જ્ઞાયક, શુભાશુભપણે કેમ થાય? “તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી.' -આ કારણે-જ્ઞાયકભાવ ભગવાન આત્મા શુભાશુભપણે થયો નથી તેથી–તેને ગુણ સ્થાનના ભેદ પણ લાગુ થતા નથી.
અહા! શિષ્યનો પ્રશ્ન એમ હતો કે તમે જે શુદ્ધાત્મા કહો છો તે છે કોણ, તે કેવો છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ! જેને જાણે તો જ આત્માનું હિત થાય ને અહિત ટળે એ શું ચીજ છે? ત્યારે (તેના ઉત્તરમાં) કહ્યું કે એ આત્મા (શુદ્ધાત્મા) અનાદિ અનંત, નિત્ય ઉધોતરૂપ ને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે, જો કે સંસાર અવસ્થામાં પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર તથા દુરંત કષાયચક્રનો જે ભાવ છે તેવા શુભાશુભભાવ થાય છે–તેની અવસ્થામાં શુભાશુભ થાય છે. તો પણ એ શુભાશુભપણે જ્ઞાયક થતો નથી. વસ્તુ જે જ્ઞાયક ભાવ છે તે શુભાશુભપણે થતી જ નથી. જો તે (જ્ઞાયક ભાવ) શુભાશુભપણે થાય તો જડ થઈ જાય. કારણ કે જ્ઞાયક ભાવમય વસ્તુ છે તે જ્ઞાનરસરૂપ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. જ્યારે શુભાશુભ છે તે અચેતન-અંધારા સ્વરૂપ છે. માટે તે રૂપે આત્મા થાય તો આત્મા જડ થઈ જાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115