________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
જ્ઞાયક ભાવ ટીકા- “જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી”—પોતે પોતાથી સત્તારૂપે વસ્તુ હોવાથી (કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી)
અનાદિ સત્તારૂપ છે”—અનાદિ છે. પોતે-એની સત્તા પોતાથી ક્યાતી હોવાથી કોઈથી ઉત્પન્ન થયો નથી. માટે ભગવાન આત્મા કે જેને અમે શુદ્ધ કહેવા માગીએ છીએ તે “અનાદિ સત્તારૂપ છે.” -અનાદિ હોવારૂપ છે. પર્યાય તો થાય ને જાય. પણ વસ્તુ કે જે રાગથી પૃથક છે એ તો અનાદિ સત્તારૂપ છે, અનાદિથી હોવાવાળી ચીજ છે. કેમ કે તે કોઈથી ઉત્પન્ન થયો નથી. ઈશ્વરે આત્માને ઉત્પન્ન કર્યો છે કે કોઈ ઈશ્વર તેનો કર્તા છે એમ નથી. પોતે પોતાથી જ છે.
પ્રશ્ન- કથંચિત્ પોતાથી ને કથંચિત્ પરથી એમ કહો તો અનેકાંત થાય ને!
સમાધાનઃ- ભાઈ! પોતે પોતાથી છે ને પરથી નથી એનું નામ અનેકાંત છે. પોતાની સત્તા પોતાથી છે પણ પોતાની સત્તા પરથી નથી તે અનેકાંત છે. –આમ આત્મા અનાદિ સત્તારૂપ છે.
“કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે” આત્મા કદી વિનાશ પામતો નથી. જે વસ્તુ અનાદિ સત્તારૂપ છે-જે છે-તે છે..... છે... એટલે કે ભૂતકાળમાં હતી, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે, બસ છે એ છે જ. ચીજ અનાદિ સત્તાવાળી–હોવાવાળી છે, તેમ જ તે કદી વિનાશ પણ પામતી નથી. કદી એટલે કોઈ કાળે નાશ પામતી નથી, માટે તે “અનંત છે”ભવિષ્યમાં તે કાયમ રહેનાર છે માટે તે અનંત છે, તેનો કદી અંત નથી. અહા ! જેની કદી શરૂઆત નથી તેમ જ જેનો કદી અંત નથી એવી અનાદિ અનંત એ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com