________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૬: આત્મખ્યાતિ ટીકાનો ગુજરાતી અનુવાદ
હવે પ્રશ્ન ઊપજે છે કે એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે:
નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત “શુદ્ધ' કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે. ૬
ગાથાર્થ-[ ૧: 1] જે [ જ્ઞાયવ: ભાવ:] જ્ઞાયક ભાવ છે તે [ અપ્રમત: મ]િ અપ્રમત્ત પણ [ન મવતિ] નથી અને [ન પ્રમત:] પ્રમત્ત પણ નથી, [gā] એ રીતે [શુદ્ધ] એને શુદ્ધ [માન્તિ] કહે છે; [ 4 ] વળી જે [ જ્ઞાત:] જ્ઞાયકપણે જણાયો [સ: તુ] તે તો [H: પવ–] તે જ છે, બીજો કોઈ નથી.
ટીકા- જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી (કોઈથી ઉત્પન્ન થયો નહિ હોવાથી) અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહિ હોવાથી અનંત છે, નિત્યઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક “ભાવ” છે, તે સંસારની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની નિરૂપણાથી (અપેક્ષાથી) ક્ષીરનીરની જેમ કર્મયુગલો સાથે એકરૂપ હોવા છતાં, દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાયચક્રના ઉદયની (કષાયસમૂહુના અપાર ઉદયોની) વિચિત્રતાના વિશે પ્રવર્તતા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com