________________
દુનિયાને સૈથી પ્રાચિન ધર્મ
દુખ થાય છે, તેમજ દરેક જીવને પણ દુઃખ થાય છે. આ કારણથી કોઈ પણ પ્રાણીને કદી ઇજા કરતા ના, કોઈ પણ જીવને દુઃખ દેતા ના, કોઈ પણું જીવને દુઃખી જોઈ આનંદ પામતા ના, અને કદીપણ તેને જીવ લેતા ના.”
આ ધર્મની કીર્તિ ગાવામાં, આ ધર્મના ગુણ ગાવામાં અને એ ધર્મના ઉપકાર તળે દબાવામાં ઉંચ પંચંદ્ધિ મનુષ્યો જ એકલા સામેલ થયા છે એમ નથી, પણ મનુષ્ય સાથે મુગા પ્રાણીઓ જેવા કે ગાયો. ઘેટાંઓ, બકરા, મેંઢાઓ, મરઘીઓ, કબુતરે અને દરેક જીવતાં પ્રાણીઓ પોતાની મુંગી જીભ વડે સામેલ થાય છે; દુનિયામાં જૈન ધર્મજ ફક્ત એ ધર્મ છે કે જેણે લાખો ને કરડે વર્ષો સુધી વાચા વગરનાં મુમાં પ્રાણીઓ તરફથી કમર બાંધી તેમના બચાવ માટે બનતું કર્યું છે, એ ધર્મજ ફક્ત એ ધર્મ છે કે જેણે ગમે તેવા કાર્યમાં પછી તે શિકાર માટે, યજ્ઞમાટે, કે ખાવા માટે હોય તો પણ પ્રાણીઓના વધ સામે મજબુત અવાજ ઉઠાવ્યો છે ! એ ધર્મજ ફકત એ છે કે જેણે
अहिंसा परमो धर्मः એ સિદ્ધાંત બરાબર પાળ્યો છે અને હજારો જીવોને બચાવવામાં એ સિદ્ધાંતને ઉપયોગ નિમક હલાલીથી કર્યો છે, અને એજ ધર્મના કારણે માણસખાઉ દુનિયાં થઈ જવાને બદલે દયામયી દુનિયાં થોડે અંશે પણ દેખવામાં આવે છે. એ જ કારણે યજ્ઞ અથવા તે એવા બીજા કોઈ પ્રસગે પણ પોતાના સિદ્ધાંતમાં જરાપણ ડગ્યા વગર જૈનો તરફથી કરડે વરસ સુધી એ સિદ્ધાંત બીન દેહશતે પાળવામાં આવ્યો છે. આ દયામયી ધર્મને ઉપદેશ બ્રાહ્મણું, વૈશ્યો કે શદ્રો તરફથી નહીં પણ ક્ષત્રીઓ તરફથી આપવામાં આવ્યો હતો. કેટલાક અજ્ઞાનો એવી રીતે જણાવે છે કે જૈનધર્મ વાણીઆ અથવા શ્રાવકોનો અથવા વૈષ્ણવોને ધર્મ છે; આવું બોલનારાઓ સાથે કેટલાક મૂર્ખ લકે જેડાઈ એ ધર્મની નિંદા કરવામાં ઉત્સાહ લે છે. પણ તેઓને ખબર નથી કે, એવું કહેવામાં તેઓની મોટી ભૂલ છે, કારણ કે તેઓએ પોતે એ ધર્મની પ્રાચિનતા અથવા સિદ્ધાંતે જાણવા દરકાર કરી નથી એટલું જ નહીં પણ મળેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com