________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
રસ્તાને કિનારે–ગંગાની તરફ વાંસને કઠેરા બનાવેલ હતો. વચ્ચે વચ્ચે થાંભલા પણ હતા. થોડે દૂર ગયા પછી તેમણે જોયું કે કેટલાક લશ્કરી અમલદારો રસ્તાને કિનારે ઘાસ પર બેઠા હતા. તેમની સાથે બે એક કૂતરા પણ હતા. એક કૂતરાએ પૂર્ણ ચંદ્રનો પીછો પકડે. કૂતરાની ટેવ હોય છે કે જે કરે છે તેના પર તે વધારે હુમલો કરે છે. કૂતરાને જોઈ પૂર્ણ બાબુ બન્યા અને તેથી કૂતરે વધારે પાછળ પડ્યા.
કૂતરાને ગાર માલિક એ બનાવથી રાજી થઈને ઉલટો તે કૂતરાને ઉત્સાહિત કરવા લાગે ! કૂતરો વધારે ઉત્સાહિત થઈને દોડ્યો અને પૂર્ણ બાબુની લગોલગ પહોંચી ગયો. પૂર્ણ બાબુ બીજે ઉપાય ન હોવાથી રસ્તાના થાંભલા ઉપર ચઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા.
બંકિમચંદ્રનું ધ્યાન પ્રથમ આ બાબત તરફ ખેંચાયું ન હતું. તેઓ બીજી બાજુ ગંગાની શોભા જોતા જોતા ચાલ્યા જતા હતા. એકાએક તેમણે પાછળ ફરીને જોયું તે કૂતરાને પૂર્ણબાબુ પર હુમલો કરવાને ઉદ્યત થયેલો જોયો. બંકિમ બાબુને ચહેરે લાલચોળ થઈ ગયો. તેમણે કોંધપૂર્વક સાહેબ તરફ જોઈને કહ્યું “સાચેજ ગમ્મત તો સારી કરી ! તમને શરમ નથી આવતી ?” બંકિમે એટલા તેજપૂર્વક આ વાક્યો કહ્યાં કે સાહેબે શરમાઈ જઈને તરતજ કૂતરાને બોલાવી લીધો. - રાત્રે નાટક પૂરું થતાં મે થઈ ગયું. કાંટાલપાડાથી જે લેકે ગયા હતા તેઓ બધા સાથે ત્યાંથી પાછા ફર્યા. તે ટોળામાં બંકિમબાબુ પણ હતા. પહેલાં કહી ગયા છીએ કે તે વખતે ચંચુડામાં માર્શલ લો ચાલુ હતા. આ યુદ્ધના કાયદા અનુ સાર ચંચુડાની હદની અંદર રાતના નવ વાગ્યા બાદ જે કઈ બહાર રસ્તા પર નીકળે તે પહેરાપર ઉભેલ ગોરે તેને ગોળી મારી શકતા હતા. ઘંટાઘાટ ઉપરના પહેરે પર બે ગેર ઉભા રહ્યા હતા. કાંટલપાડાના લેકનું ટોળું જેવું ઘંટાઘાટ પાસે પહોંચ્યું કે તરતજ અંધકારમાંથી બહાર આવીને એક ગોરાએ આગલા ગૃહસ્થની છાતી ઉપર સંગીન ધરી. બધા ગૃહસ્થ આનંદપૂર્વક નાટકની વાત કરતા કરતા ઘેર જતા હતા. સામે આ વિપત્તિ આવેલી જોઇને તેઓ ગભરાઈ ઉઠયા. બંકિમચંદ્ર ચેડા પાછળ હતા. બધાને ઉભા રહેલા જોઇને તેઓ આગળ ગયા. જોયું તે એક ગોરો હાથમાં બંદુક લઈને રસ્તે રેકીને ઉભો છે અને બીજે ગેરે આગળના ભલા માણસની છાતી પર સંગીન રાખીને અંગ્રેજીમાં કંઇક પૂછી રહ્યો છે ! તે વખતે બંકિમબાબુને માર્શલ લેનો ખ્યાલ આવી ગયો. તેમણે વિચાર્યું કે આ વિધાન અનુસાર ગોરે તે બધાની પણ હત્યા કરી શકે તેમ છે. એટલે આગળ ઉભેલા ધ્રુજતા ગૃહસ્થને દૂર કાઢીને ખુદ બંકિમ તે ગેરાની સામે ઉભા રહ્યા અને શાંત સંયમપૂર્ણ ભાષામાં ગારાને સમજાવી દીધું કે અમે બધા માણસો ગંગાને પેલે પારથી અહીં નાટક જેવા આવ્યા હતા. ગોરાએ કહ્યું- “હું તે કેવી રીતે જાણું?”બંકિમે જવાબ આપ્યો “તમે જીલ્લામાજીસ્ટ્રેટને પૂછજો. તે પણ ત્યાં હાજર હતા.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com